Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો રાજ્યના આ ગામના લોકોએ શા માટે ચૂંટણીનો બહિષ્કાર કર્યો

Webdunia
શુક્રવાર, 22 માર્ચ 2019 (12:20 IST)
ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના માલપુરમાં ગામ લોકોએ આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ ગામમાં રસ્તા તેમજ અન્ય પ્રાથમિક સુવિધાના અભાવે નેતાઓ તથા તંત્ર પ્રત્યે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે વિદ્યાર્થીઓએ  રોડ નહિ તો વોટ નહિના નારા સાથે વિરોધ દર્શાવ્યો છે. આ ઉપરાંત રાજકીય પક્ષો પર પણ ગામમાં આવવાનો પ્રતિબંધ ફરમાવ્યો છે. માલપુરના જાલમખાંટના રહીશો રોડથી વંચિત રહેતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ગામના વિદ્યાર્થીઓ, યુવાનો અને અગ્રણીઓએ રસ્તાની માંગ સાથે ચૂંટણીનો વિરોધ કરી રહ્યાં છે. અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના લોકો વર્ષોથી પાકા રસ્તા માટે તડપી રહ્યા છે. વાંકાનેડા-ચંદસર માર્ગને જોડતા જાલમખાંટ ગામ સુધી પહોંચવાનો 3 કિમી રસ્તો કાચો હોવાને કારણે ગામમાંથી પસાર થઇ ભેમપોડા ગામ સહિતના ગામડાઓને જોડે છે. જો કે હાલ કાચો રસ્તો હોવાને કારણે રાહદારીઓ તેમજ નાના વાહનચાલકોને હાલાકીઓનો સામનો પડી રહ્યો છે. ગ્રામજનોએ સ્થાનિક ધારસભ્યને પણ અવારનવાર રજૂઆતો કરી તેમ છતાં હજુ કોઇપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી. જેથી હવે ગામ લોકોએ રોષે ભરાઇને આગામી સમયમાં ગાંધી ચિધ્યાં માર્ગે આંદોલન સહિત ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે. 

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments