Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભાની ચૂંટણી 2019- ઉમેદવારોની પસંદગીનો મુદ્દો ભાજપ-કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન બન્યો

Webdunia
મંગળવાર, 26 માર્ચ 2019 (12:00 IST)
લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યાં ગુજરાતમાં બંને મુખ્ય પક્ષોમાં ઉમેદવારોની ટિકીટ અંગે મુંઝવણો ઓછી થવાનું નામ નથી લેતી. કોંગ્રેસમાં તો શરુઆતથી જ આ મુદ્દે ઉકળતો ચરુ છે પરંતુ હવે ભાજપમાંય તેનું પરિવર્તન થઈ રહ્યું છે. ઉમેદવારોની પસંદગીનો મુદ્દો ભાજપ-કોંગ્રેસ માટે શીરદર્દ બન્યો છે ત્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી મંગળવારે યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા છે. દરમિયાનમાં ભાજપે રીપિટ થિયરી અપનાવતા કોંગ્રેસે કેટલીક બેઠકો પર નો-રીપિટ થિયરી અપનાવવાનું બહાર આવ્યું છે. ભાજપે પ્રભુ વસાવાને રીપિટ કરતા કોંગ્રેસે તુષાર ચૌધરીની જગ્યાએ ધારાસભ્ય આનંદ ચૌધરીને અને વલસાડ બેઠક પર ભાજપે કે.સી.પટેલને રીપિટ કરતા કીશન પટેલના નામ અંગે ફેરવિચારણા હાથ ધરી છે. ધ્રાંગધ્રા બેઠક પર પણ ભાજપના નારાજ સાંસદ દેવજી ફતેપરાને કોંગ્રેસમાંથી લડાવવાની વાટાઘાટો ચાલી રહી છે. આંદોલનકારી ચહેરાઓ એક પછી એક કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે ત્યારે ફીકસ વેતનના મુદ્દે આંદોલન કરનાર પ્રવિણ રામ સોમવારે વિરોધ પક્ષના નેતા ધાનાણીને મળ્યા હતા. તેમણે ગાંધીનગર કે અન્ય બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી હોવાનું સુત્રોનું કહેવું છે. પાટણમાં જગદિશ ઠાકોરનું નામ નક્કી થતા ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના નિર્ણય સામે નારાજગી વ્યકત કરીને ચિમકી આપી હોવાનું બહાર આવ્યું છે. જો કે, જગદિઠ ઠાકોરને ટીકીટ આપવા પહેલા સહમતી થઇ ગઇ હતી, પણ પાછળથી કોકડું ગુંચવાયું છે. એનસીપીએ શંકરસિંહ વાઘેલાને ગાંધીનગર કે અન્ય બેઠક પરથી ચૂંટણી લડવાની અપીલ કરી છે. જો કે, એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ આ નિવેદન પછી ભૂર્ગભમાં જતા રહ્યા હતા. જ્યારે શંકરસિંહની છાવણી તરફથી બાપુ ચૂંટણી લડવાના ન હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Akshaya Tritiya Prasad: પ્રસાદમાં ઝટપટ તૈયાર કરો દાણાદાર મોહનથાળ

સિંધી કોકી બનાવવાની રેસીપી Sindhi koki recipe

ખોરાક બની રહ્યો છે બિમારીઓનું મોટું કારણ, જાણો તમારીથાળીમાં એક દિવસમાં કેટલી રોટલી, શાકભાજી અને ફળ હોવા જોઈએ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

આગળનો લેખ
Show comments