આસારામ બાપૂનુ શિવિર સેક્ટર છ માં લાગેલુ છે. જ્યા દિલ્હીમાં ગેંગરેપના શિકાર થયેલ યુવતી વિશે તેમના તાજા નિવેદનથી થયેલ વિવાદ બાદ સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આસારામ બાપૂ 14થી 17 જાન્યુઆરી સુધી ધાર્મિક પ્રવચન આપશે.
મહાકુંભમાં મોરારી બાપૂ, પાયલટ બાબા અને અવઘેશાનંદ ગિરિ પણ હાજર છે. યોગ ગુરૂ બાબા રામદેવ 10 જાન્યુઆરીના રોજ જ મેળામાં આવી ગયા હતા. તેમનુ શિવિર સેક્ટર નવમાં લાગે છે.
આ ઉપરાંત આધ્યાત્મિક સંત સુધાંશુ મહારાજ, સતપાલ મહારાજ, પ્રભાશંકર શાસ્ત્રી દડાજી, યોગી આદિત્યનાથ, સ્વામી વિમલદેવ, સ્વામી બ્રહ્માશ્રમ અને અયોધ્યામાં શ્રીરામજન્મ ભૂમિ ન્યાસના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ પણ હાજર છે.