Festival Posters

Shani Gochar 2022- 12 જુલાઈથી આ લોકોના જીવનમાં આવશે મોટો બદલાવ, શનિદેવ બદલશે રાશિ

Webdunia
મંગળવાર, 5 જુલાઈ 2022 (08:38 IST)
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના ગોચર એટલે કે રાશિ પરિવર્તન ચોક્કસ સમય અને ચોક્કસ સમયગાળા માટે જ થાય છે. તે તમામ રાશિઓને અસર કરે છે. કર્મ ફળ આપનાર શનિદેવ 12 જુલાઈથી પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. તે કુંભ રાશિથી મકર રાશિમાં ગોચર કરશે. શનિદેવની ચાલ મકર રાશિમાં વક્રી હેશે. શનિદેવ થોડા મહિનાઓ માટે મકર રાશિમાં પાછા ફરશે અને પછી કુંભ રાશિમાં જશે. આ દરમિયાન કેટલીક રાશિઓ પર શનિની સારી અને શુભ દ્રષ્ટિ થવાની છે. ચાલો જાણીએ કે શનિના ગોચથી કઈ રાશિને શુભ ફળ મળશે.
 
મેષ- મેષ રાશિના જાતકો માટે શનિનું ગોચર ફાયદાકારક સાબિત થશે. શનિ ગોચર આ સમગ્ર સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. નોકરીની શોધમાં શનિદેવની વિશેષ કૃપા રહેશે. વ્યવસાય સંબંધિત બાબતોમાં પણ સફળતા મળવાની સંભાવના છે. પિતા સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવવો સારો રહેશે. તમને તમારા કર્મનું પૂર્ણ ફળ મળશે.
 
 
 
સિંહ રાશિઃ- મકર રાશિમાં શનિની વક્રી થવાના કારણે સિંહ રાશિના લોકોના જીવનમાં મોટો બદલાવ આવવાનો છે. નોકરી કરતા લોકોને પ્રમોશનનો લાભ મળશે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ રહેશે. કાર્યસ્થળ પર કુશળતા જાળવી રાખો. તમને દરેક કાર્યોમાં સફળતા મળશે. વેપારનો વિસ્તાર થશે.
 
 
 
કન્યા રાશિઃ- શનિનું રાશિ પરિવર્તન કન્યા રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. ધંધામાં કરેલા નાણાકીય રોકાણથી ઘણો ફાયદો થવાનો છે. નાણાકીય સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. નોકરીમાં પદમાં વધારો થવાની સંભાવના છે. પ્રમોશનની પણ સંભાવના છે. સંતાનનું સુખ મેળવી શકશો. નવી નોકરીની ઓફર મળી શકે છે.
 
 
 
તુલાઃ- શનિના રાશિ પરિવર્તનને કારણે તુલા રાશિના જાતકોને પદ, પ્રતિષ્ઠા અને કીર્તિમાં વધારો થવાનો છે. નોકરી-ધંધામાં આર્થિક વૃદ્ધિ થવાની સંભાવના છે. વેપારમાં પૈસાની બાબતમાં તમારે સાવધાન રહેવું પડશે. નોકરીમાં બદલાવ અને પ્રમોશન થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ પ્રાપ્ત થઈ શકે છે. તેનાથી પણ ફાયદો થશે.
 
 
 
ધનુ - 12 જુલાઈના રોજ શનિદેવની વક્રી થવાના કારણે ધનુ રાશિના અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થવાની સંભાવના છે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ વધશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. વેપારમાં પ્રગતિની સંભાવના છે. પદ, પ્રતિષ્ઠા, કીર્તિ અને સંપત્તિમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સાવધાન રહેવાની શક્યતા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

આગળનો લેખ
Show comments