rashifal-2026

Astro Tips: રસ્તામાં, જાદુ-ટોણા સાથે સંકળાયેલી આ વસ્તુઓ પર પગ ન રાખો, નહીં તો થશે મોટુ અપશુકન

Webdunia
ગુરુવાર, 13 ઑક્ટોબર 2022 (09:59 IST)
Astro Tips: ઘરના વડીલો  જાદુ-ટોણા સાથે સંકળાયેલી  ઘણી વાતો કહે છે. જેને લોકો આજના સમયમાં બહુ ઓછા લોકો માને છે.   પરંતુ વડીલોના આ શબ્દોમાં એક મોટું સત્ય છુપાયેલું છે. વાસ્તવમાં, જ્યારે આપણે ક્યાંક જઈએ છીએ, ત્યારે આપણે રસ્તામાં ઘણી નકારાત્મક વસ્તુઓ જોઈએ છીએ, પરંતુ આપણે તેને ગણકાર્યા વગર આગળ નીકળી જઈએ છીએ. પણ વાસ્તુ મુજબ આવી વસ્તુઓને ભૂલથી પણ  ક્યારેય પાર ન કરવી જોઈએ. તેમને પાર કરવાથી અથવા તેના પર પગ મૂકવાથી, નકારાત્મક વસ્તુઓ તમારા જીવનમાં પ્રવેશી શકે છે. શાસ્ત્રો અનુસાર, ચાર રસ્તા રાહુનું પ્રતિનિધિત્વ કરે છે, કેટલાક પરિમાણો સિવાય, બાકીના પરિમાણોમાં રાહુ નકારાત્મક છે.  આવો અમે તમને જણાવીએ કે રસ્તામાં પડેલી કઈ વસ્તુઓને ભૂલથી પણ પાર ન કરવી જોઈએ.
 
રસ્તામાં પડેલા મૃત પશુથી દૂર રહો
જો તમને રસ્તામાં કોઈ મૃત પ્રાણી દેખાય તો તરત જ તમારી દિશા બદલો. મૃત પ્રાણીમાં ઘણી બધી નકારાત્મક ઉર્જા હોય છે. ત્યાં ચાલવાને કારણે નકારાત્મક ઉર્જા પણ તમારા પર ખરાબ અસર કરી શકે છે. તમારી બાઈક કે કારને ક્યારેય મૃત પ્રાણી ઉપર ન ચલાવો.
 
લીંબુને પાર કરવું એ અપશુકન  છે
લોકો ઘણીવાર પોતાના ઘરને ખરાબ નજરથી બચાવવા અથવા પરિવારના સભ્યોની નજર ઉતારવા માટે રસ્તાઓ પર લીંબુ ફેંકી દે છે. આવી સ્થિતિમાં, તમે ભૂલથી પણ તે લીંબુ પર તમારો પગ ન મૂકવો જોઈએ. જો તમે ભૂલથી લીંબુ પર પગ મુકો છો, તો હનુમાન ચાલીસાનો પાઠ કરતા તરત જ તે સ્થાન છોડી દો.
 
વાળના ગુચ્છા પર ન મુકશો પગ 
રસ્તામાં બહાર જતી વખતે ઘણી વખત વાળનો ગુચ્છો દેખાય છે, તે અશુભ શુકનથી ભરેલો હોય છે. તેની ઉપર ક્યારેય ન જાવ અને ભૂલથી પણ તેને પાર ન કરો. વાળના ગુચ્છમાં રાહુનો સીધો પ્રકોપ છે, જે કોઈપણ વ્યક્તિ પર ખૂબ જ ખરાબ અસર કરે છે.
 
પૂજા સામગ્રી કે ભોજનને ઓળંગશો નહી
મોટાભાગે પૂજા સામગ્રી અથવા ભોજનને ચાર રસ્તા  પર મુકવામાં આવે છે. વાસ્તવમાં પૂર્વજો માટે ખોરાક મુકવાનુ વિધાન છે. ચાર રસ્તા રાહુનું પ્રતિનિધિત્વ કરે છે અને પિતૃ પણ રાહુનું પ્રતિનિધિત્વ કરે છે. આવી સ્થિતિમાં તમારે તેમનાથી દૂર રહેવું જોઈએ. જો ક્યાંક રાખ અથવા બળી ગયેલું લાકડું  મુકવામાં આવે તો તેને પાર ન કરવું જોઈએ, અહીંથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે, જે ક્રોસ કરનાર વ્યક્તિનું સ્વાસ્થ્ય બગાડી શકે છે.
 
તો મિત્રો આ હતી રસ્તા પર અપશુકન ગણાતી કેટલીક નેગેટિવ વસ્તુઓ વિશેની માહિતી.. અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. webdunia  આ અંગે કોઈ પુષ્ટિ કરતું નથી. આ માહિતી સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહી રજુ કરવામાં આવેલ છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

જમ્મુ અને કાશ્મીરમાં ભારે ઠંડીએ હાહાકાર મચાવ્યો છે, ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગગડી ગયું

ફોન વાગે છે, પણ તમને સામેથી કોઈ અવાજ સંભળાતો નથી? આ રીતે સ્કેમર્સ પીડિતોને નિશાન બનાવે છે.

IPL Auction 2026 Live Updates: અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર પણ થઈ ધનવર્ષા, CSK એ 14.20 કરોડમાં ખરીદ્યો

પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોય તો ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, વાહન B6 જપ્ત કરવામાં આવશે - દિલ્હી સરકારની મોટી જાહેરાત

એક બિલાડી કપડાં ધોવાના મશીનમાં ૧૦ મિનિટ સુધી ફરતી રહી, પણ બચી ગઈ. કેવો ચમત્કાર!

આગળનો લેખ
Show comments