Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 મે થી નૌતપા - શુ હોય છે રોહિણી નક્ષત્ર, જ્યોતિષ મુજબ જાણો ગ્રહોની શુ થશે અસર ?

Webdunia
સોમવાર, 24 મે 2021 (13:59 IST)
પ્રતિવર્ષ ગ્રીષ્મ ઋતુમાં નૌતપા શરૂ થાય છે. આ વખતે નૌતપા વૈશાખ શુક્લની ચતુર્દશી 25 મે ના રોજ શરૂ થઈને આઠ જૂન સુધી રહેશે. જ્યોતિષ મુજબ શરૂઆતના પાંચ દિવસ વધુ પરેશાની ભર્યા રહેશે. એવુ બતાવાય રહ્યુ છે એ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરતા જ ધરતીનુ તાપમાન ઝડપથી વધવા લાગશે.
 
 જ્યોતિષ મુજબ આ વર્ષ રોહિણીનો નિવાસ દરિયાકિનારે રહેશે. સારો વરસાદ પડશે, જેનાથી પાકનુ ઉપ્તાદન પણ સારુ થશે. નોતપા વિશે એવુ કહેવાય છે કે સૂર્ય જ્યારે રોહિણી નક્ષત્રમાં 15 દિવસ માટે આવે છે તઓ એ પંદર દિવસના પહેલા નવ દિવસ સૌથી વધુ ગરમીના હોય છે.  આ શરૂઆતના નવ દિવસને નૌતપાના નામથી ઓળખાય છે.  જો આ નવ દિવસમાં વરસાદ ન પડે અને ઠંડી હવા ન ચાલે તો એવુ માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં સારો વરસાદ પડશે.   આ દરમિયાન સૂર્યની ગરમી અને રોહિણીના જળ તત્વ ના કારણે ચોમાસુ ગર્ભમાં જાય છે અને નૌતપા જ ચોમાસાનો ગર્ભકાળ માનવામાં આવે છે.  સૂર્ય 12 રાશિઓ 27 નક્ષત્રોમાં ભ્રમણ કરે છે.  જ્યોતિષ મુજબ સૂર્ય કુંડળીમાં જે પણ ગ્રહ સાથે બેસે છે તેનો પ્રભાવ અસ્ત કરી નાખે છે. 
 
નૌતપા દરમિયાન, સૂર્યની કિરણો સીધી પૃથ્વી પર આવે છે, જેના કારણે તાપમાનમાં વધારો થાય છે. આ ઉચ્ચ તાપમાનને કારણે મેદાનોમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થાય છે. સૂર્ય 12 રાશિ અને 27 નક્ષત્રમાં ભ્રમણ કરે છે. જ્યોતિષીઓના કહેવા મુજબ, સૂય્ર કુંદળીમાં જે પણ ગ્રહ સાથે બેસે છે તેના પ્રભાવને જો કુંડળીમાં સૂર્ય કોઈ ગ્રહ સાથે બેસે તો તે તેની અસરને નષ્ટ કરે છે.  રોહિણી નક્ષત્રનો અધિપતિ ગ્રહ ચંદ્રમા હોય છે. આવામાં જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે તો તે ચંદ્રની શીતળતાના પ્રભાવને સંપૂર્ણપણે નષ્ટ કરીને તાપ વધારે છે. એટલે કે પૃથ્વીને શીતળતા પ્રાપ્ત નથી થતી. આ કારણે તાપ વધી જાય છે. 
 
બદલાશે ગ્રહોની ચાલ, બનશે વરસાદના યોગ 
 
નૌતપા દરમિયાન જ ગ્રહોની ચાલ બદલાય છે. 30 મે ના રોજ બુધ ગ્રહ વક્રી થશે. તેના બે દિવસ પછી શુક્ર પણ બુધનો સાથ છોડશે. તેનાથી પર્વતીય વિસ્તારમાં વર્ષાના યોગ બની શકે છે. હિમાચલ ઉપરાંત રાજસ્થાન, ગુજરાત, યૂપી, પંજાબ અને ઓડિશામાં પણ તેજ હવાઓ સાથે વરસાદના યોગ બનશે.  જ્યોતિષ મુજબ આ ઉપરાંત આ વર્ષનો રાજા મંગળ છે અને મંગળ પાસે જ વરસાદનો વિભાગ પણ છે, જે જળનો ક્ષયનો પ્રતિક છે. જેનાથી ભારતમાં વરસાદ સારો પડશે. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments