Webdunia - Bharat's app for daily news and videos

Install App

વર્ષ 2020માં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ઘરમાં લાવો આ વસ્તુઓ

Webdunia
સોમવાર, 30 ડિસેમ્બર 2019 (17:22 IST)
બધા લોકો ઈચ્છે છે કે વર્ષ 2020માં તમારાના જીવનમાં ખૂબ ઉન્નતિ અને  ધન સંપત્તિ  આવે અને  નવા વર્ષે એટલે કે 2020માં તમારી પણ પ્રગતિ થાય આ માટે તમારા ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવી  ખૂબ લાભકારી હોય છે.  અમે કેટલાક એવા ઉપાય બતાવી રહ્યા છે જે કે વાસ્તુ મુજબ ઘરમાં લાવવાથી ખુશહાલી આવે છે. તો આવો જાણીએ 2020ના પ્રથમ દિવસે ઘરમાં શુ લાવીને મુકવુ જોઈએ. 
 
આર્થિક સંપન્નતા માટે 
 
બધા ઈચ્છે કે કે આવનારુ વર્ષમાં તેમની બેગણી ઉન્નતિ થાય. તેથી ઘરમાં આર્થિક પ્રગતિ અને સંપન્નતા માટે ધન કુબેરની મૂર્તિ લાવીને મુકો.  ધન કુબેરની મૂર્તિ ઘરના પૂજા સ્થાન પર મુકો અને પૂજા કરો. આવુ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. 
 
ઘાતુથી બનેલો કાચબો અને ડ્રેગન ઘરમાં લાવો 
 
અમારા આવનારા વર્ષને સુખ શાંતિ અને સમૃદ્ધ બનાવવા માટે ઘરમાં ઘાતુથી બનેલો કાચબો ઘોડો કે ડ્રેગન લઈને આવો. તેને ઘરમાં લાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે. 
 
નોકરી-વેપારમાં સંપન્નતા માટે 
 
નોકરી વેપારમાં સંપન્નતા માટે નવ વર્ષ એટલે કે 2020માં દેવી લક્ષ્મીના ચરણ ચિહ્ન તમારા ઘરે લાવો અને દરરોજ તેની પૂજા કરો. તેનાથી ઘરમાં આર્થિક સમૃદ્ધતા આવશે અને નોકરી વ્યવસાયમાં સફળતા પણ મળશે. 
 
દરેક કાર્યમાં સફળતા મેળવવા માટે 
 
નવા વર્ષમાં તમારા ઘરમાં લાફિંગ બુદ્ધા લઈને આવો. લાફિંગ બુદ્ધા ઘરે લાવીને તેને ઉત્તર પૂર્વ દિશામાં મુકવાથી ઘરમાં સંપન્નતા સાથે પોઝિટિવિટી આવે છે. સાથે જ તમને બધા કાર્યમાં સફળતા મળે છે અને પ્રગતિના નવા રસ્તા ખુલે છે. 
 
બધા અવરોધ દૂર કરવા માટે 
 
જો તમારા ઘર પર ખરાબ નજર લાગી હોય કે પછી તમને એવુ લાગતુ હોય કે તમારી સાથે બધુ નેગેટિવ થઈ રહ્યુ છે તો નવુ વર્ષ શરૂ થતા પહેલા ઘરના બધા અવરોધ દૂર કરી દો. આ માટે ઘરમાં પંચમુખી હનુમાનજીની મૂર્તિ લઈ આવો અને નવા વર્શમાં શુક્લ પક્ષમાં મંગળવારના દિવસે પંચમુખી હનુમાનજીની પ્રતિષ્ઠા કરો.  તેનાથી ઘરના બધા અવરોધ દૂર થઈ જશે. 
 
સૌભાગ્યમાં વૃદ્ધિ માટે 
 
ફેંગશુઈ મુજબ ઘરમાં વિંડ ચાઈમ લગાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. નવા વર્ષ 2020માં તમારા ઘરમાં વિંડ ચાઈમ લાવો અને ઘરના ઉત્તર પૂર્વ કોણમાં લગાવો. આવુ કરવાથી વ્યક્તિના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. 

સંબંધિત સમાચાર

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

આગળનો લેખ
Show comments