Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pukhraj પહેરવાથી શુ ફાયદો થાય છે ? પોખરાજ કોણે પહેરવો કોણે નહી

Webdunia
ગ્રહદશાની અસર માનવીના જીવનમાં કાયમ થતી જ હોય છે. તેથી ગ્રહના નંગ બાબતે સૌને ઉત્સુકતા હોય છે. આ ગ્રહોમાંથી એક નંગ છે પુખરાજ. આ નંગ પહેરવાથી થતો સ્પષ્ટ દેખાય છે. પુખરાજ સુખ અને સંપત્તિ પ્રદાન કરનારો રત્ન છે. પુખરાજ ધારણ કરવાથી સુખ સંપત્તિ, સૌભાગ્ય વગેરેમાં ક્યારેય કમી આવતી નથી.

શુ ફાયદો ?

લગ્ન તેમજ સંતાનનું સુખ મેળવવા માંગતી વ્યક્તિઓએ પુખરાજ ધારણ કરવો જોઈએ. જેમને ડાયાબીટિશ કે શ્વાસનો રોગ હોય તેમના દ્વારા પુખરાજ પહેરવાથી ફાયદો થાય છે. જે વ્યક્તિનો ગુરૂ કમજોર હોય તેમણે પુખરાજ પહેરવો જોઈએ. પુખરાજ ધારણ કરનારે એક વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ કે પુખરાજ સંપૂર્ણ રીતે શુદ્ધ હોવો જોઈએ.

પુખરાજ કેવી રીતે ઓળખશો ?

પુખરાજ નંગ પાણી જેવો પારદર્શી, ચમકીલો હોય છે. તેની ચમક ક્યારેય ઝાંખી પડતી નથી. જો પુખરાજ નંગની ચમક ફીકી પડી રહી હોય તો તે અસલી પુખરાજ નથી એવુ સમજી લેવુ. પુખરાજનો નંગ હળદર જેવો પીળો, કેસરી, લીલો, સફેદ, સોનેરી એમ પાંચ રંગમાં હોય છે.

ક્યારે પહેરવો ?

પુખરાજ એ લોકોએ ધારણ કરવો જોઈએ જેમને ગુરુની મહાદશા ચાલી રહી હોય. તેની માટે ગુરુવાર શ્રેષ્ઠ દિવસ છે. ગુરુને પ્રસન્ન કરવા માટે ગુરુવારના દિવસે સવારે 10થી 12 વાગ્યાની વચ્ચે તેને સોનાની વીંટીમાં તર્જની આંગળી એટલે કે ઈન્ડેક્સ ફિંગરમાં પહેરવો જોઈએ.

સાવધાની ?

ધ્યાન રાખવું કે કોઈપણ રત્ન ધારણ કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ જ્યોતિષનો પરામર્શ ચોક્કસ લો. ક્યારેક રત્નનો પ્રભાવ ખૂબ જ ઝડપથી થઈ જાય છે. કેટલીક પરિસ્થિતિઓમાં રત્ન વિપરિત પ્રભાવ પણ આપે છે. આથી જ્યોતિષની સલાહ વગર તેને ધારણ ન કરવા. તે સિવાય રત્ન ધારણ કરતા પહેલા કેટલીક સાવધાનીઓ રાખવી જોઈએ.

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments