Webdunia - Bharat's app for daily news and videos

Install App

કયા વારે કયુ દાન કરવાથી લાભ થાય છે ?

Webdunia
ગુરુવાર, 30 નવેમ્બર 2017 (06:38 IST)
આપણી ત્યાં દરેક વારનું જુદુ જુદુ મહત્વ છે. સોમવાર, મતલબ ઉપવાસનો દિવસ તમે માનતા હશો પણ આપણા શાસ્ત્રો મુજબ બીજા વારનું પણ એટલુ જ મહત્વ હોય છે. આટલુ જ નહી શાસ્ત્રોમાં એ પણ બતાવવામાં આવ્યુ છે કે કયા વારે કઈ વસ્તુઓનુ મહત્વ હોય છે. 


આવો જાણીએ કયા વારે કંઈ વસ્તુનુ મહત્વ હોય છે. 

રવિવાર મતલબ સૂર્યદેવની ઉપાસનાનો દિવસ માનવામાં આવે છે. સૂર્યદેવની કૃપા મેળવવા માટે દરેક રવિવારે ગોળ અને ચોખા, તાંબાના સિક્કા નદીમાં સમર્પિત કરો. સૂર્યને અર્ધ્ય આપો. 

શાસ્ત્ર મુજબ સોમવાર એટલે ચંદ્રનો દિવસ. ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસે ખીર જરૂર ખાવી જોઈએ. કુંડળીમાં ચંદ્ર નીચનો હોય તો સફેદ રંગના વસ્ત્રો પહેરવા અને ચંદનનું તિલક લગાવવુ જોઈએ. 

મંગળ ગ્રહની વિશેષ પૂજા કરવાનો દિવસ છે. આ દિવસે મસૂરની દાળ દાન કરવી. જે લોકોને મંગળ હોય તેમણે લાલ વસ્તુઓનુ દાન કરવુ. દરેક મંગળવારે થોડી રેવડીઓ નદીમાં માછલીઓ માટે નાખવી, હનુમાનજીની પૂજા કરવી. 

બૃદ્ધિના દેવતા બુધ ગ્રહનો આ દિવસ છે. જે લોકોની કુંડળીમાં બુધ અશુભ હોય તેમણે આ દિવસે મગ ખાવા ન જોઈએ અને દાન પણ ન કરવા જોઈએ. મંગળવારે રાત્રે લીલા મગ પલાળી મુકવા અને બુધવારે સવારે આ મગ ગાયને ખવડાવવા. 

ગુરૂવાર -  આ દિવસ દેવગુરૂ ગુરૂનો દિવસ છે. જે લોકોની કુંડળીમાં ગુરૂ સારી સ્થિતિમાં ન હોય તેમણે બ્રાહ્મણને પીળા રંગના વસ્ત્રોનુ દાન કરવુ. કઢી-ભાત પોતે પણ ખાવ અને ગરીબ છોકરાઓને પણ ખવડાવો. પીળો રૂમાલ પોતાની પાસે રાખવો. '

દૈત્યના ગુરૂ શુક્રાચાર્યનો આ દિવસ છે. આ દિવસે શુક્ર ગ્રહની વિશેષ ઉપાસના કરવી. આ દિવસે દહી અને લાલ જુવારનું દાન કરવુ. સફેદ રેશમી વસ્ત્રનું દાન કરવુ. 

સંબંધિત સમાચાર

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

ક્ષત્રિય આંદોલન પુરૂ નથી થયું માત્ર વિરામ આપીએ છીએઃ રાજપૂત સંકલન સમિતીની જાહેરાત

રિવરફ્રન્ટ ખાતે ચાલતી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને બોટિંગ 3 મહિનાથી બંધ

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

આગળનો લેખ
Show comments