Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળાષ્ટકનાં કારણે લગ્ન માટે ૧૬મી એપ્રિલ સુધી રાહ જોવી પડશે

Webdunia
સોમવાર, 3 માર્ચ 2014 (12:11 IST)
P.R
તા. ૮મીથી હોળાષ્ટક બેસી જતાં હોવાથી શુભ કાર્યો આ સમયમાં થઇ શકશે નહિ. ત્યારબાદ મીનારક શરૂ થનાર છે આથી હવે હોળાષ્ટક બાદ નવા લગ્ન સમારંભો માટે ૧૬ મી એપ્રિલ સુધી રાહ જોવી પડશે. આવતીકાલથી શરૂ થતાં માર્ચ માસમાં લગ્ન માટેના ત્રણ જ મુહૂર્તો તા.૨, ૪ અને ૭ ના છે.

આગામી ૮ મીથી માર્ચથી ૧૬ મી માર્ચ સુધી હોળાષ્ટક હોવાથી આ સમય દરમિયાન કોઇ જ શુભ કાર્ય થતું નથી. હોળાષ્ટકમાં જ એટલે કે તા.૧૪ મી માર્ચથી તા.૧૪ મી એપ્રિલ સુધી મીનારક ચાલશે. આ સમય પણ શુભ પ્રસંગો યોજવા માટે સારો ગણાતો નથી.૧૬ મી એપ્રિલ બાદ જ લગ્ન સમારંભો અને શુભ કાર્યો થઇ શકશે.

દરમિયાનમાં લોકસભાની ચૂંટણી પણ એપ્રિલના બીજા સપ્તાહથી મેના અંત સુધી યોજાનાર હોવાની સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે ત્યારે એપ્રિલ માસમાં લગ્ન યોજનારાઓને પણ મ્યુનિ. કોર્પોરેશનના અતિથિગૃહો, વાડી, પાર્ટી પ્લોટ મેળવવા માટે ખાસ ચકાસણી કરવી પડશે. સામાન્ય રીતે શહેરમાં અતિથિ ગૃહોમાં ચૂંટણીના બંદોબસ્ત માટે આવતા અર્ધલશ્કરી દળોના જવાનોને રાખવામાં આવતા હોવાથી લગ્ન સમારંભો વખતના બુકિંગ માટે પણ ચકાસણી કરવી પડશે તેમ જણાવવામાં આવે છે.

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments