Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંકશાસ્ત્ર : તમારો મૂલાંક 1 છે તો તમે સાહસિક પ્રવૃત્તિના છો

અંકશાસ્ત્ર દ્વારા જાણો તમારા સ્વભાવનુ રહસ્ય

Webdunia
- ન્યૂમરોલોજી દ્વારા જાણો કેવી છે તમારી પર્સનાલિટ ી

અંક જ્યોતિષ એક જાણીતી વિદ્યા છે. તેના દ્વારા વ્યક્તિત્વના ઘણા બધા રહસ્યોને ઓળખી શકાય છે. જો તમારા જન્મતારીખનો સરવાળો 1 આવે છે. તો જાણો કેવા છો તમે ...

P.R

અંક 1 - એક અંકનુ ન્યૂમરોલોજીમાં ઘણુ મહત્વ છે. આ ચમકતા તેજસ્વી, સાહસ અને પ્રસિદ્ધિના સૂચક છે. આ અંક દ્રઢ ઈચ્છાશક્તિનું પ્રતીક છે. જે લોકોનો અંક જ્યોતિષના મુજબ મૂલાંક એક નીકળે છે તેઓ જન્મજાત નેતા હોય છે.

P.R


જીવનમાં ગૌરવ અને મહાનતા પ્રાપ્ત કરે છે. તેમની સામે ઉચ્ચ આદર્શ હોય છે અને આ લોકો જીવનની નાની નાની મુશ્કેલીઓથી બચતા રહે છે.

આ લોકોમાં એકસાથે ઘણુ બધુ મેળવી લેવાની આકાંક્ષા હોય છે. જેનાથી તેમણે બચવુ જોઈએ. આ આકાંક્ષા વ્યક્તિને ખોટા ચક્કરોમાં ફસાવી દે છે. તેનાથી તેમની પ્રગતિનો માર્ગ મુશ્કેલ બની જાય છે.

P.R

એક અંકના વ્યક્તિને પોતાની યોગ્યતાને ખતમ થવાથી બચવા માટે પોતાની શક્તિ અને વિચારોને યોગ્ય દિશા આપવી જોઈએ. આવા વ્યક્તિને જીવનના ઉચ્ચ આદર્શો માટે નાની મહત્વાકાંક્ષાઓનો ત્યાગ કરવો જોઈએ. તેણે યોજનાઓ બનાવીને તેના પર ચતુરાઈથી ચાલવુ જોઈએ.

P.R


આવા વ્યક્તિઓની પાસે ઉપલબ્ધિઓના ઘણા સારા અવસર હોય છે, પણ તેમને અહંકારથી બચવુ જોઈએ. જેટલી ઊંચી મહત્વાકાંક્ષાઓ હશે, તેટલી જ વધુ સફળતા તે મેળવશે. આવી વ્યક્તિ શક્તિશાળી હોય છે, પણ તેના બુલંદ સિતારાને જોઈને ઘણા દુશ્મન બની જાય છે.

એક અંકવાળા વ્યક્તિની પાસે કાર્ય કરવાની અદ્દભૂત ક્ષમતા હોય છે. આવા વ્યક્તિએ પોતાની ઉર્જા યોગ્ય દિશામાં લગાવવી જોઈએ.

એક અંકનો વ્યક્તિ યોગ્ય દિશા ન પકડે તો તેની શક્તિનો દુરુપયોગ થશે. આવા વ્યક્તિએ જુગાર અને સટ્ટાથી બચવુ જોઈએ. બીજાની ભૂલો અને નિષ્ફળતાઓને પોતાના માથે લેવાની આદતથી બચો.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

વધુ જુઓ..

નવીનતમ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments