Dharma Sangrah

મહાવીર જયંતિ - સત્ય વિશે મહાવીર સ્વામીના ઉપદેશ

Webdunia
पुरिसा! सच्चमेव समभिजाणाहि।
सच्चस्स आणाए से उवट्ठिए मेहावी मारं तरइ॥

સત્ય વિશે મહાવીર સ્વામી કહે છે કે હે પુરૂષ! તુ સત્યને જ સાચું તત્વ સમજ. જે બુદ્ધિમાન સત્યની જ આજ્ઞામાં રહે છે તે મૃત્યુને તરીને પાર કરી જાય છે.

निच्चकालऽप्पमत्तेणं मुसावायविवज्जणं।
भासियव्वं हियं सच्चं निच्चाऽऽउत्तेणदुक्करं॥

તેઓ કહે છે પ્રમાદમાં પડ્યાં વિના હંમેશા અસત્યનો ત્યાગ કર. સાચું બોલ. લોકોનું હિત કરે તેવું બોલ. હંમેશા આવું સત્ય બોલવું મુશ્કેલ હોય છે.

अप्पणट्ठा परट्ठा वा कोहा वा जइ वा भया।
हिंसगं न मुखं बूया नो वि अन्नं वयावए॥

મહાવીરજી કહે છે ના તો પોતાના લાભ માટે જુઠુ બોલો કે ન તો બીજાના. ક્રોધમાં આવીને પણ જુઠ ન બોલશો અને ભયમાં આવીને પણ જુઠ ન બોલશો. અન્યને કષ્ટ આપનાર ના પોતે અસત્ય બોલવું જોઈએ કે ન બીજાઓની પાસે અસત્ય બોલાવડાવું જોઈએ.

तहेव फरुसा भाषा गुरुभूऔवघाइणी।
सच्चा वि सा न वत्तव्वा जओ पावस्स आगमो॥

તેઓ કહે છે કે જો સાચી વાત પણ કડવી હોય, તેનાથી કોઈને દુ:ખ પહોચતું હોય, પ્રાણીઓની હિંસા થતી હોય તો તે ન બોલવું જોઈએ. તેનાથી પાપનું આગમાન થાય છે.

तहेव काणं काणे त्ति पंडगं पंडगे त्ति वा।
वाहियं वा वि रोगि त्ति तेणं चोर त्ति नो वए॥

મહાવીરજીએ તો અહીંયા સુધી કહ્યું છે કે કાણાને કાણો કહેવો, નપુંસકને નપુંસક કહેવો, રોગીને રોગી કહેવો, ચોરને ચોર કહેવો આ બધી વાતો તો સત્ય છે પરંતુ તેવું કહેવું યોગ્ય નથી. આ લોકોને દુ:ખ થાય છે.

मुहुत्तदुक्खा उ हवंति कंटया, अओमया ते वि तओ सुउद्धरा।
वाया दुरुत्ताढि दुरुद्धराणि, वेराणुबन्धीणि महब्भयाणि॥

મહાવીરજી કહે છે કે લોખંડનો સળીઓ ઘુસી જાય તો થોડીક વાર જ દુ:ખ થાય છે અને તે સરળતાથી નીકળી પણ જાય છે. પરંતુ વ્યંગ્ય બાણનો કાંટો જો એક વખત હૃદયની અંદર ઘુસી જાય તો તેને ક્યારેય પણ કાઢી નથી શકાતો. તે વર્ષો સુધી અખળતો રહે છે. તેનાથી વેર ઉભા થાય છે અને ભય ઉત્પન્ન થાય છે.

अपुच्छिओ न भासेज्जा भासमाणस्स अन्तरा।
विट्ठिमंसं न खाएज्जा मायामोसं विवज्जए॥

તેમણે એવું પણ કહ્યું છે કે કોઈના પુછ્યા વિના જવાબ પણ ન આપશો અને બીજા કોઈની વચ્ચે બોલશો પણ નહી. પીઠ પાછળ કોઈની નિંદા પણ ન કરશો. બોલવામાં પણ કપટ ન ભરશો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

વધુ જુઓ..

નવીનતમ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments