Festival Posters

IPL 2025: હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ બહાર, કોણ કરશે CSK વિરુદ્ધ કપ્તાની, અહી જુઓ MI Predicted Playing XI

Webdunia
સોમવાર, 17 માર્ચ 2025 (18:23 IST)
IPL 2025 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. જેની ત્રીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. જે 23 માર્ચે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. ફેંસ આ મેચની ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે.
 
પરંતુ ચેન્નાઈ સામેની મેચ પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સને બે મોટા આંચકાનો સામનો કરવો પડ્યો છે. કેપ્ટન હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ ચેન્નાઈ સામેની મેચમાંથી બહાર થઈ જશે. આવી સ્થિતિમાં ટીમની કેપ્ટનશીપ કોણ સંભાળશે? ચાલો જાણીએ કે મુંબઈ ઈન્ડિયન્સ પહેલી મેચમાં કેવું રમશે.
 
 
કોણ કરશે ચેન્નઈ સુપર કિંગ્સ સામે કપ્તાની ?
 
હાર્દિક પંડ્યા તેમની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ નહિ કરી શકે. કારણ કે ગયા સિઝનની છેલ્લી મેચ બાદ તેના પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે સિઝનની પહેલી મેચમાં લાગુ પડશે. તેથી, તેમના સ્થાને સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ કરી શકે છે. કારણ કે તે ટીમનો ઉપ-કપ્તાન છે.
 
મેગા ઓક્શન પહેલા મુંબઈએ પોતાનો ભારતીય કોરને રિટેઈન કરી લેવામાં આવી હતી. જેમાં રોહિત શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને સૂર્યાનો સમાવેશ થાય છે. આમાંથી ત્રણ ખેલાડીઓ ચેન્નાઈ સામેની મેચનો ભાગ બનશે. બુમરાહ ઈજાના કારણે IPLની શરૂઆતની મેચમાંથી બહાર થઈ ગયો છે. પરંતુ આ છતાં, મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન ઘણી મજબૂત છે.

મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રાયન રિકેલ્ટન, રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રોબિન મિંજ, નમન ધીર, મિશેલ સેન્ટનર, જસપ્રીત બુમરાહ, દીપક ચહર અને ટ્રેન્ટ બોલ્ટ
 
મુંબઈ ઈન્ડિયન્સ ટીમ
સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, તિલક વર્મા, બેવોન જેક, રાયન રિકેલ્ટન, રોબિન મિંજ, કૃષ્ણા શ્રીજીત, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, રાજ બાવા, વિગ્નેશ પુથુર, વિલ જેક્સ, મિશેલ સેન્ટનર, જસપ્રીત બુમરાહ, અર્જુન તેંડુલકર, અશ્વિની કુમાર, રીસ ટોપલી, લિઝાદ વિલિયમ્સ, કર્ણ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, સત્યનારાયણ રાજુ, મુજીબ ઉર રહેમાન

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Babasaheb Ambedkar- ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ

બપોરના ભોજનમાં ઝડપથી ક્રિસ્પી લસણના ભુજિયા બનાવો, તેને મકાઈની રોટલી સાથે પીરસો

શરીર પરનાં સોજા ને કંટ્રોલ કરે છે આ Anti-Inflammatory Foods, જાણો દાયેતમાં સામેલ કરવાથી કયા ફાયદા થશે ?

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

કૂતરા વિશે નિબંધ ધોરણ 1 અને 2

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

'તારક મેહતા...' ફેમ દિશા વાકાણીના પિતા અને પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું 84 વર્ષની વયે નિધન

ગુજરાતી જોક્સ - આંગળીની કીમત

ગુજરાતી જોક્સ - ટ્રેનમાં પંચર

ગુજરાતી જોક્સ - મારા જેવા દેખાય છે

આગળનો લેખ
Show comments