રાહુલ શાહ કહે છે કે આજે અમારી સમક્ષ ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દો છે અને દેશનો દરેક નાગરિક તેના વિરોધ આંદોલનમાં જોડાય ગયો છે. આજના યુવા અસત્ય વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. ભ્રષ્ટાચાર અને આતંકવાદના મુદ્દા પર પોતાના વિચાર બતાવી રહ્યા છે. દેશસેવા માટે ખુદ સૈનિક બનવાની હિમંત દાખવી રહ્યા છે. રાજનીતિમાં જઈને પોતાની રીતે કામ કરીને પરિસ્થિતિઓ બદલવાનો પ્રયત્ન કરી રહ્હ્યા છે. યુવાઓની આ તાકત એક થઈ જાય તો ક્રાંતિ આવવામાં સમય નહી લાગે.
વિશાલ સાહૂ કહે છે કે ફક્ત આપણા દેશની મોટી વસ્તી યુવાઓની છે. આઝાદી પછી આપણે ઘણા આધુનિક થઈ ગયા છીએ અને દુનિયાભરમાં આપણે આપણી પ્રતિભાને પ્રદર્શિત કરવાની તક પણ મળી રહી છે. નવી પેઢી, નવા વિચાર દ્વારા મોટા ફેરફારો લાવી રહી છે. એમા કોઈ શક નથી કે દેશને મહાશક્તિ બનાવવામાં યુવાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે.. યુવાઓ પોતાની કાબેલિયતના આધાર પર આને સાબિત પણ કરી રહ્યા છે.