Festival Posters

Tips To Pick Watermelon - દુકાનદાર તરબૂચને હાથથી મારીને કેમ ચેક કરે છે ? જાણો તરબૂચ લાલ અને મીઠુ નીકળે એ માટે શુ ધ્યાન રાખવુ

Webdunia
બુધવાર, 26 માર્ચ 2025 (14:52 IST)
Tips To Pick Watermelon : માર્ચ મહિનામાં કડક ધૂપ પોતાની અસર બતાવી રહી છે અને ગરમી દિવસો દિવસ વધતી જઈ રહી છે. ગરમીમાં તરબૂચની માંગ વધી જાય છે. તરબૂચ અનેક જરૂરી વિટામિન અને ખનીજો વિશેષ રૂપથી વિટામીન સી અને એ થી ભરપૂર હોય છે. આ ફળ ગરમીમાં આખો, ત્વચા અને અહી સુધી કે દિલના સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં આવે છે. તપતી ગરમીથી બચવા માટે મોટાભાગના લોકો આનુ સેવન કરે છે. 
 
માર્ચનો મહિનો આવતા જ બજારમાં તરબૂચની આવક શરૂ થઈ જાય છે. લોકો તરબૂચ બજારમાંથી ખરીદીને લાવે છે પણ કાપ્યા પછી અનેકવાર મન દુખી થઈ જાય છે જો તરબૂચ કાચુ નીકળે કે મીઠુ ન લાગે.  
 
તરબૂચ કાચુ કે મીઠુ ન નીકળવુ તમારા મૂડ અને પૈસા બંનેને ખરાબ કરે છે પણ જો તમે બજારમાંથી તરબૂચ ખરીદીને લાવી રહ્યા છો તો તમે કાપ્યા વગર તરબૂચ ચેક કરી શકો છો કે તે ગળ્યુ અને પાકુ હશે કે નહી. 
 
જીલ્લા ઉદ્યાન અધિકારીએ જણાવ્યુ કે તરબૂચને આંગળીઓથી વગાડીને તેની ઓળખ કરી શકો છો. તરબૂચની ઉપર તમે આંગળીઓથી મારો છો તો તેની અંદરથી હૉલો સાઉંડ આવે છે મતલબ કે તરબૂચની અંદરથી ખોખલાપણાનો અવાજ આવી રહ્યો છે તો તરબૂચ મીઠુ હશે. 
 
તરબૂચ ખરીદતી વખતે છાલટાથી પણ સાચો અંદાજ લગાવી શકાય છે કે તરબૂચ પાકુ છે કે નહી. જો તરબૂચની ઉપર ધબ્બા જોવા મળી રહ્યા છે તો તમે બિંદાસ તરબૂચ ખરીદી શકો છો. આવુ તરબૂચ નેચરલ રીતે પાકેલુ હશે અને જો તરબૂચ ઉપર વધારે પડતા નિશાન દેખાય કે કાળા ધબ્બા જેવા લાગે તો આવુ તરબૂચ બિલકુલ ન ખરીદશો. 
 
તરબૂચને જલ્દી બજારમાં વેચવાના ચક્કરમાં ખેડૂત અનેકવાર કેમિકલનો પણ ઉપયોગ કરે છે. આવુ તરબૂચ ઓળખવુ પણ જરૂરી છે. જો તરબૂચના છાલટા ઉપર પીળા ધબ્બા જોવા મળી રહ્યા છે તો તેને ખરીદી શકાય છે. પીળા ધબ્બા ધૂપના સંપર્કમા આવવાથી આવી જાય છે. પણ જો તરબૂચની ઉપર ઘટ્ટ લીલો અને નિશાન વગરનુ તરબૂચ છે તો આ વાતની શક્યતા છે કે તરબૂચ કેમિકલથી પકવ્યુ છે.  કેમિકલથી પકવેલુ તરબૂચ તમારા આરોગ્યને નુકશાન પહોચાડી શકે છે.   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી, વીજળીના કડાકા સાથે પવન ફૂંકાશે

અમરાવતીમાં સેક્સ સ્કેન્ડલ સામે આવતા મચ્યો હડકંપ, સોશિયલ મિડીયા પર 350 આપત્તિજનક વિડીયો વાયરલ

ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે, આઠ રાજ્યો માટે ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે.

નાસિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં VIP દર્શનના નામે કાળાબજારીનો પર્દાફાશ, ટ્રસ્ટના સભ્ય અને શરદ પવારના NCP નેતાની ધરપકડ

માત્ર રસોડું જ નહીં, પણ ખેતી પણ કટોકટીનો સામનો કરી રહી છે... તેલ અને ગેસ પછી, હોર્મુઝ નાકાબંધી હવે આ ચીજવસ્તુની અછતનું કારણ બનશે!

વધુ જુઓ..

ધર્મ

શ્રી હનુમાન ચાલીસા ગુજરાતી

Akshaya Tritiya Puja Samagri- અક્ષય તૃતીયા પૂજા સામગ્રી, પૂજા વિધિ

Akshay Tritiya: અક્ષય તૃતીયા કેમ ઉજવાય છે ? જાણો ધાર્મિક કારણ અને આ તિથીનું મહત્વ

Aaj nu panchang- આજનુ પંચાગ -14 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 13 એપ્રિલ

આગળનો લેખ
Show comments