Festival Posters

Cockroach Remedies: શુ તમારા ઘરમાં પણ ફરી રહ્યા છે કોકરોચ તો આ ઉપાયથી મળશે તરત જ છુટકારો

Webdunia
બુધવાર, 17 ઑગસ્ટ 2022 (00:48 IST)
Cockroach Remedies:આપણા ઘરના રસોડામાં મોટાભાગે વંદા જોવા મળે છે. આ બિનઆમંત્રિત મહેમાનો તેમના પોતાની હાજરીથી રસોડાનો  દેખાવ બદલી નાખે છે. જો તમારા રસોડામાં કોકરોચ છે તો તમારે સાવધાન રહેવું જોઈએ. કારણ કે  રસોડામાં કોકરોચ હોવાને કારણે, તમને તમારા સ્વાસ્થ્યથી લઈને ઘણી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. તે નાળુ અને ગટરમાંથી બહાર નીકળીને તમારા ઘર સુધી પહોંચે છે, પછી તે તમારા ભોજન સુધી ફરતા રહે છે, જેના કારણે હાનિકારક બેક્ટેરિયા આ ભોજન સુધી પહોંચે છે, જે માનવ શરીર માટે હાનિકારક છે. તેથી ઘરના રસોડામાંથી વંદાનેબહાર કાઢવા જરૂરી બની જાય છે. તો જો તમારા રસોડામાં કે ઘરમાં વંદા છે તો આ ઘરેલું ઉપાયોથી તરત જ તેનાથી છુટકારો મેળવો.
 
લીમડાના પાનથી કોકરોચના ત્રાસથી મળશે છુટકારો 
લીમડાના ઝાડના અનેક ફાયદા છે. જો તમે ઘરમાંથી કોકરોચથી છુટકારો મેળવવા માંગતા હોય તો આ લીમડો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. વંદા ભગાડવા માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળો અને પછી તે લીમડાના પાણીને વંદાઓના સ્થાન પર છાંટો. આ ટ્રિકથી રસોડામાંથી કોકરોચ દૂર થઈ જશે.
 
કેરોસીન વડે કોકરોચથી છુટકારો મેળવો
જો તમે તમારા રસોડામાંથી કોકરોચથી છુટકારો મેળવવા માંગો છો, તો તમે કેરોસીન તેલનો સહારો લઈ શકો છો. એક રેખા દોરો જ્યાં વંદો સૌથી વધુ દેખાય. પછી ત્યાં કેરોસીન છાંટવું. કેરોસીનની વાસના કારણે રસોડામાંથી કોકરોચ ભાગી જશે.
 
ખાવાનો સોડા  છે ખૂબ અસરકારક
બેકિંગ સોડા ઘરમાંથી વંદા દૂર કરવામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમને કોકરોચ બહુ પરેશાન કરી રહ્યા હોય તો બેકિંગ સોડામાં ખાંડ મિક્સ કરીને મિશ્રણ બનાવો. આ પછી આ મિશ્રણ જ્યાં વંદા વધુ આવે ત્યાં  મૂકો. ખાંડ કોકરોચને આકર્ષિત કરશે પરંતુ તેને ખાવાનો સોડા સાથે ભેળવીને તેમના માટે ઝેરનું કામ કરશે અને તે મરી જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોહિત શર્માએ IPL 2026 સીઝનની કરી શાનદાર શરૂઆત, આ બાબતમાં વિરાટ કોહલીને છોડ્યો પાછળ

MI vs KKR IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે 6 વિકેટથી નોંધાવી જીત, કેકેઆરને એકતરફા હરાવ્યું

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા નોંધણી શરૂ, જાણો બોનસ અને નવા નિયમો

પશ્ચિમ બંગાળમાં જો BJP ની સરકાર બની તો લોકો નોનવેઝ નહિ ખાઈ શકે, બોલી CM મમતા બેનર્જી

'રાહુલ' નીકળ્યો અબ્દુલ, લગ્નની લાલચ આપીને યુવતી સાથે એક વર્ષ સુધી કરતો રહ્યો દુષ્કર્મ, હવે પહોચ્યો જેલમાં

વધુ જુઓ..

ધર્મ

Garbh sanskar- ગર્ભ સંસ્કાર એટલે શું

Aaj nu panchang- આજનુ પંચાગ - 30 માર્ચ

Somwar Upay: અનંત ત્રયોદશી અને પ્રદોષ વ્રતનાં શુભ સંયોગમાં કરો આ ઉપાય, ધન ધાન્યથી ભરેલા રહેશે ભંડાર

Hanumanji bhog- હનુમાનજીને પ્રિય પ્રસાદ અને ચઢાવવાના નિયમો

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments