Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hot Water Health Benefits: વધતી વય ઘટાડવામાં ગરમ ​​પાણી છે ખૂબ જ અસરકારક, જાણો તેના વિશેષ ફાયદા

Hot water - Honey
Webdunia
બુધવાર, 27 જુલાઈ 2022 (00:21 IST)
ગરમ પાણી ખૂબ જ ફાયદાકારક છે, 
તે સાંધાના દુખાવામાં પણ અસરકારક છે, 
ગરમ પાણી પીવાથી પાચનતંત્ર યોગ્ય રહે છે.
 
Hot Water Health Benefits:પાણી છે તો જીવન છે. આપણે જે દુનિયામાં રહીએ છીએ તેનો પણ  70% ભાગ પાણી છે અને આપણા શરીરનો લગભગ તેટલો જ ટકા ભાગ પાણીથી બનેલો છે, તેથી આપણે સમજી શકીએ છીએ કે તે કેટલું મહત્વનું છે. હવા પછી, જીવન માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ પાણી છે. આપણે દરરોજ 5 થી 10 ગ્લાસ પાણી પીએ છીએ. પીતી વખતે આપણે આ પાણીના તાપમાનની ખાસ કાળજી લેતા નથી, આપણે શક્ય હોય ત્યાં સુધી ઠંડુ પાણી પીવા માંગીએ છીએ જ્યારે ઠંડુ પાણી સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોખમી છે.આપણા શરીરના તાપમાનના સમાન તાપમાનનું પાણી આપણા માટે શ્રેષ્ઠ છે. આપણે આખા દિવસ દરમિયાન 2 થી 3 ગ્લાસ ગરમ પાણી (હુફાળું) પીવું જોઈએ. ગરમ પાણી પીવાનો શ્રેષ્ઠ સમય સવારે, સૂવાના સમયે અને જમ્યા પછી 40 મિનિટનો છે. આપણે ન્હાવા અને અન્ય સફાઈ માટે પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ, જો આપણે ગરમ પાણીનો ઉપયોગ કરીએ તો તેના પણ ઘણા ફાયદા છે. આજે અમે ગરમ પાણી પીવાથી આપણા શરીરને થતા ફાયદાઓ વિશે બતાવી રહ્યા છીએ. જેને અપનાવીને તમે સ્વસ્થ શરીર પણ મેળવી શકો છો.
 
આ છે ગરમ પાણી પીવાના ફાયદા
 
ગરમ પાણીમાં પગ પલાળીને બેસો - સાંજે ગરમ પાણીમાં પગ ડુબાડીને બેસી રહેવાથી પગમાં તેમજ આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે. રક્ત પરિભ્રમણ થતાં જ ઘણી બીમારીઓ થતી નથી અને થાય તો પણ ઝડપથી મટી જાય છે. આમ કરવાથી માથાનો દુખાવો દૂર થાય છે, પગનો દુખાવો અને પગનો સોજો મટે છે, પગ કોમળ અને સુંદર બને છે, પગની તિરાડમાંથી મુક્તિ મળે છે. આ સાથે ગરમ પાણી આપણી રોગપ્રતિકારક શક્તિને પણ સુધારે છે.
 
સાંધાના દુખાવામાં અસરકારક - ગરમ પાણી સાંધાનો દુખાવો પણ દૂર કરે છે. આપણા શરીરના 80 ટકા સ્નાયુઓ પાણીથી બનેલા છે, તેથી પાણી સ્નાયુઓના દુખાવા અને ખેંચાણને પણ દૂર કરે છે. ગરમ પાણી પિત્ત શામક છે તેથી તે તમામ દર્દમાં ફાયદો કરે છે.
 
ચામડીના રોગથી મળશે છુટકારો  - ગરમ પાણીથી પરસેવો થાય છે, તે પરસેવા દ્વારા ત્વચાના ઝેરી તત્વોને દૂર કરે છે, તેથી તે ત્વચાના તમામ રોગોમાં ફાયદાકારક છે.
 
યુવાન રાખવામાં અસરકારક - ગરમ પાણીમાં વૃદ્ધત્વ વિરોધી ગુણો પણ હોય છે. થોડા દિવસો સુધી નિયમિત ગરમ પાણી પીવાથી કરચલીઓ દૂર થશે, ત્વચા ટાઈટ થશે અને તે ચમકદાર પણ બનશે. તે પિમ્પલ્સને પણ દૂર કરે છે.
 
એસિડિટીથી  આપે છે રાહત - જો તમે પણ એસિડિટીથી પરેશાન છો. તો હવે તમારી જીવનશૈલી બદલો અને દરરોજ ગરમ પાણી પીવાનું શરૂ કરો. ગરમ પાણી પીવાથી એસિડિટીથી રાહત મળે છે.
 
શરદીથી મળશે છુટકારો - શરદી, ખાંસી, નાક બંધ થવું, છાતીમાં કફ થવો,  સાઈનસાઈટિસ કે અસ્થમામાં ગરમ ​​પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે.
 
વજન ઘટાડવામાં અસરકારક - વજન ઘટાડવામાં પણ ગરમ પાણી ખૂબ જ મદદરૂપ છે. જમવાના એક કલાક પછી ગરમ પાણી પીવાથી મેટાબોલિઝમ વધે છે. જો થોડું લીંબુ અને થોડું મધ પણ ગરમ પાણીમાં મિક્સ કરીને પીવામાં આવે તો તે શરીરને સ્લિમ ટ્રિમ બનાવે છે.
 
કબજિયાતમાં આપે રાહત  - ગરમ પાણી પીવાથી આપણું પાચનતંત્ર યોગ્ય રહે છે. દિવસમાં બે વખત ગરમ પાણી પીવાથી તમે પેટની સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. તે આંતરડાની હલનચલન વધારે છે તેથી કબજિયાતમાં ખૂબ જ ફાયદાકારક છે.તેમજ ગરમ પાણી સતત પીવાથી શરીરના ઝેરી તત્વો પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે. આના કારણે ત્વચા, કિડની અને લીવર પર ઓછું દબાણ આવે છે અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે.
 
પીરિયડ્સના દુખાવાથી મળશે રાહત  - જો મહિલાઓને પીરિયડ્સ દરમિયાન પેટમાં દુખાવો થતો હોય તો રોજ સવારે અને સાંજે એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી આરામ મળે છે. તે પેલ્વિસ અને ગર્ભાશયના સ્નાયુઓને આરામ આપે છે, જે પીડામાં રાહત આપે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

આગળનો લેખ
Show comments