Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips for Cold - શરદી-ખાંસી થાય તો અપનાવો દાદીમાંનો આ અચૂક ઉપાય, જલ્દી મળશે આરામ

Webdunia
સોમવાર, 29 નવેમ્બર 2021 (13:43 IST)
શિયાળાની ઋતુમાં મોટેભાગે લોકોનુ નાક બંધ અને ખાંસી થવા માંડે છે. આવામાં કોરોનાના આ સમયમાં આપણી ઈમ્યુન સિસ્ટમની આપણે થોડી એકસ્ટ્રા કેયર કરી રહ્યા છે. એવામાં જો શિયાળાની ઋતુ માં શરદી થઈ જાય તો કોઈ જલ્દી ઠીક થવાની કોશિશ કરે છે. આવામાં દાદી-નાની દ્વારા બતાવેલ ઘરેલુ ઉપાય તમને ખૂબ કામ આવી શકે છે.  સાથે જ ઘરમાં એક એવો નુસખો છે જે સ્વાદમાં ખૂબ ટેસ્ટી પણ હોય છે. આ ઉપાયને તમે નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી આપી શકો છો. ચાલો જાણીએ તેને બનાવવાની રીત અને ફાયદા 
 
શુ જોઈએ 
 
આને બનાવવા માટે તમને આદુ, દેશી ઘી અને ગોળની જરૂર પડશે. તેને બનાવવા મા ટે જો પાવડર ગોળનો ઉપયોગ કરશો તો સારુ રહેશે. 
 
કેવી રીતે બનાવશો 
 
 જો તમે આ એક વ્યક્તિ માટે બનાવી રહ્યા છો તો તમે તેને ચમચીમાં પણ બનાવી શકો છો.  આ માટે સૌ પહેલા એક ચમચીમાં દેશી ઘી લો અને તેમા છીણેલુ આદુ નાખો. પછી તેને ધીમા ગેસ પર પકવો અને 30 સેકંડ પછી તેમા ગોળ મિક્સ કરો. સારી રીતે મિક્સ કરો અને 30 સેકંડસ માટે પકવો. એક બીજી વાડકીમાં નાખો અને પીવો. 
 
શુ છે તેના ફાયદા 
 
ગોળમાં ગરમી હોય છે. જે મોસમી ખાંસી અને શિયાળા માટે પ્રભાવી છે. આ ઈમ્યુનિટીને પણ વધારે છે અને શરીરના તાપમાનને પણ નિયંત્રિત કરે છે. 
 
આદુ - આદુને કાચા કે કાચાપાક રૂપમાં સેવન કરવાથી ગળાની ખરાશ અને દુખાવામાં રાહત મેળવવામાં મદદ મળે છે.  વિશેષજ્ઞો મુજબ આદુના એંટી ઈફ્લામેટરી ગુણ સોજાથી રાહત આપીને ગળાની ખરાશને શાંત કરવામાં મદદ કરે છે. આદુ શરીરમાં પ્રો ઈફ્લેમેટરી પ્રોટીનને રોકે છે. જેનાથી ગળામાં દુખાવો અને ખંજવાળ થાય છે. 
 
 
ઘી - ગરમ ઘી ગળામાં ખાંસીને ઘટાડવામાં મદદ કરે છે. આયુર્વેદ ઘી ને બંધ નાક, ખાંસી અને શિયાળા માટે એક સારો ઉપાય માને છે. 
 
વિશેષ નોંધ - જ્યારે  તમે આ નુસ્ખાને અપનાવો છો તો ઓછામાં ઓછા 25 થી 30 મિનિટ સુધી પાણી ન પીશો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments