rashifal-2026

Mosquitoes Home Remedies - આવી ગઈ મચ્છરોની સિઝન, બીમારીઓથી બચવા માટે અપનાવો આ 5 ઘરગથ્થુ ઉપચાર

Webdunia
બુધવાર, 20 માર્ચ 2024 (00:48 IST)
mosquitoes home remedies
How To Get Rid Of Mosquitoes: ઉનાળો શરૂ થયો છે અને મચ્છરો આવવા લાગ્યા છે. દરેક વ્યક્તિ આ મચ્છરોને ઘરમાંથી દૂર કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. જો આ મચ્છરોને ભગાડવામાં ન આવે તો આપ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનો ભોગ બની શકે છે.
 
આવી સ્થિતિમાં, જ્યાં વડીલો અને બાળકો હોય તેવા ઘરો માટે મચ્છરોને દૂર રાખવા એ વધુ ચિંતાનો વિષય બની ગયો છે. આવી સ્થિતિમાં, જો તમે મચ્છરોને દૂર રાખવા માટે કુદરતી ઉપાયો શોધી રહ્યા છો, તો અમે તમારી મદદ કરી શકીએ છીએ. અહીં અમે એવા 5 સરળ ઉપાયો વિશે બતાવી રહ્યા છીએ જેની મદદથી તમે સહેલાઈથી મચ્છરોને દૂર કરી શકો છો.
 
કપૂર સળગાવો: મચ્છરોને ભગાડવાની સૌથી સરળ રીત છે કપૂર. કપૂર(Camphor)ની સુગંધ જેટલી સારી હોય છે, તેટલી જ તે મચ્છરોથી બચવામાં પણ ખૂબ અસરકારક છે. તેથી સાંજ પડતાં જ કપૂર સલગાવી દો.
 
લવંડર ઓઈલઃ લવંડર ઓઈલ(lavender oil)પણ મચ્છરોને સરળતાથી ઘરથી દૂર રાખવા માટે કામ આવી શકે છે.  તમે તેનો ડિફ્યુઝર તરીકે ઘરમાં ઉપયોગ કરો કે પછી  તમારા લોશન અથવા ક્રીમમાં મિક્સ કરીને તેને ત્વચા પર લગાવી શકો છો.
 
ટી ટ્રી ઓઈલઃ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ટી ​​ટ્રી ઓઈલ(tea tree oil)ની મદદથી તમે મચ્છર કે જંતુઓને પોતાનાથી દૂર રાખી શકો છો. આ માટે તમે તેને પણ તમારા ક્રીમ લોશનમાં લગાવીને તેનો ઉપયોગ કરી શકો છો. જો તમને મચ્છર કરડે છે તો તમે બળતરાને શાંત કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો.

 
લેમનગ્રાસ અને લવિંગઃ એક વાસણમાં નારિયેળનું તેલ લો અને તેમાં લેમનગ્રાસ અને લવિંગ નાખીને પકાવો. હવે આ તેલને એક બોટલમાં સ્ટોર કરી લો.  જ્યારે જરૂર હોય ત્યારે તેને બહાર કાઢીને ત્વચા પર લગાવો.
 
લીમડાના પાનઃ જો મચ્છરો ઘરમાં આવવાનું બંધ ન થાય તો લીમડાના પાનને બાળીને તેનો ઘરમાં ધુમાડો કરો. આમ કરવાથી મચ્છરો સરળતાથી ભાગી જશે. તમે લીમડાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સગાઈ તૂટ્યા પછી Smriti Mandhana ની લેટેસ્ટ પોસ્ટ વાયરલ, શાંતિનો મતલબ ચૂપ નહી..

મધ્યપ્રદેશના સિવનીમાં એક તાલીમાર્થી વિમાન હાઇ-વોલ્ટેજ વાયર સાથે અથડાયા બાદ ક્રેશ થયું; પાયલોટ ઘાયલ

ભરૂચ GIDCની નાઈટ્રેક્સ કંપનીમાં ગંભીર અકસ્માત, એકનુ મોત

India vs South Africa 1st T20I Match : પહેલી મેચમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન, કોને મળશે તક અને કોણ થશે બહાર ?I

IPL 2026 ઓક્શન માટે 350 ખેલાડીઓની ફાઈનલ લિસ્ટ તૈયાર, ક્વિંટન ડી કૉક ની સરપ્રાઈઝ એંટ્રી

વધુ જુઓ..

ધર્મ

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments