Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kidney Stone (પથરી)થી પરેશાન છો તો અપનાવો આ ઘરેલુ ઉપચાર

Webdunia
શુક્રવાર, 26 મે 2017 (15:24 IST)
કિડનીમાં પથરી કે સ્ટોનનુ દુખાવો સહન કરવો ખૂબ મુશ્કેલ હોય છે. કોઈ પણ વ્યક્તિ આ દુખાવાને વધુ સમય સુધી સહન નથી કરી શકતુ. તેથી અનેક ડોક્ટર દવાઓ દ્વારા તેને મૂત્ર માર્ગથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. જો પથરી વધુ મોટી હોય તો ડોક્ટરને ઓપરેશન કરવુ પડે છે  જો તમે પણ કિડનીના સ્ટોનના દુખાવાથી પરેશાન છો તો કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને કિડની સ્ટોનમાંથી રાહત મેળવી શકો છો. 
 
- લીંબુ અને ઓલિવ ઓઈલ 
 
લીંબુનો રસ 1/4 કપ કાઢીને તેમા એટલુ જ ઓલિવ ઓઈલ મિક્સ કરી તેનુ સેવન કર્યા બાદ પાણી પીવુ જોઈએ. દિવસમાં બે વાર આવુ કરવાથી કિડની સ્ટોનમાંથી મુક્તિ મેળવી શકાય છે.  
 
- પાણી 
 
કિડની સ્ટોનની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે દિવસમાં ઓછામાં ઓછા 10 ગ્લાસ પાણી જરૂર પીવુ જોઈએ. વધુ પાણી પીવાથી કિડનીમાંથી સ્ટોન યુરીન દ્વારા બહાર નીકળી જાય છે. 
 
- દાડમ 
 
ફળોનું સેવન કરવુ આપણી હેલ્થ માટે લાભકારી હોય છે. પણ સ્ટોનની સમસ્યા થતા દાડમ કે દાડમનુ જ્યુસ પીવાથી સ્ટોનમાંથી છુટકારો મેળવી શકાય છે. 
 
- અજમો 
 
અજમાનુ સેવન કરવાથી પેટ સંબંધી અનેક રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે. પણ કિડનીમાં પથરી થઈ હોય ત્યારે પણ આનુ સેવન કરી શકાય છે. 
 
- તુલસીના પાન 
 
તુલસીના પાનનું સેવન કરવાથી કિડનીના સ્ટોનમાંથી છુટકારો મેળવી શકાય છે. તુલસીન પાનને ચાવવા.. તુલસીની ચા બનાવીને પીવી.. તુલસીના રસમાં મઘ ભેળવીને પીવાથી સ્ટોનમાંથી રાહત મળે છે. 
 
- કેલ્શિયમથી ભરપૂર ભોજન 
 
કિડનીમાં સ્ટોનની સમસ્યામાંથી રાહત મેળવવા માટે કેલ્શિયમ યુક્ત ભોજનનુ સેવન કરવુ જોઈએ. જે સ્ટોનને તોડીને બહાર કાઢવામાં મદદ કરે છે. દૂધ, માખણ, તરબૂચનુ સેવન કરવુ લાભકારી સાબિત થઈ શકે છે. 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Pradosh Vrat 2025: 9 કે 10 એપ્રિલ, ગુરુ પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે? જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ જાણો

Hanuman Jayanti 2025: ચાલીસાનો પાઠ કરનારાઓએ હનુમાન જયંતીના દિવસે જરૂર કરો આ કામ, બજરંગબલી વરસાવશે આશીર્વાદ

પૂજા કરતી વખતે બગાસું આવવાનું કારણ

Hanuman Jayanti 2025: હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની સામે આ દીવેટનો દીવો પ્રગટાવો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

આગળનો લેખ
Show comments