rashifal-2026

Health benefits - કારેલા અને જાંબુ ડાયાબીટિસમાં લાભકારી

Webdunia
ગુરુવાર, 11 જુલાઈ 2019 (07:00 IST)
ડાયાબીટિસ કે મધુમેહ એક એવી બીમારી છે જેમા જો બ્લડ શુગરનુ લેવલ સતત વધેલુ રહે તો શરીરના અનેક અંગો જેવા કે હ્રદય લીવર નાડી તંત્ર અને આંખો વગેરે પર ખરાબ અસર પડે છે. તેથી તેને સાઈલેંટ કિલર પણ કહેવાય છે. જો ડોક્ટરની દેખરેખમાં રહેતા સંતુલિત ખાનપાન અને નિયમિત દિનચર્યા અપનાવવામાં આવે તો આ સમસ્યાને કંટ્રોલ કરી શકે છે. 
 
કારેલા - આનુ જ્યુસ  ચૂરણ કે શાકભાજીના રૂપમા સેવન કરી શકાય છે. કારેલાના જ્યુસની 100-125 મિલીલીટરની માત્રાને ખાલી પેટ લેવાથી લાભ થાય છે. આને તમે આમળાના જ્યુસ સાથે પણ લઈ શકો છો. કારેલાને કાપીને તડકામાં સુકવીને તૈયાર કરવામાં આવેલ ચૂરણ 2-3 ગ્રામમાં ખાલી પેટ સવારે લેવાથી ફાયદો થાય છે.  
 
જાંબુ - જાંબુ ખાવ કે જાબૂના બીયાનુ ચૂરણ બનાવી 2-3 ગ્રામ સવાર સાંજ જમતા પહેલા પાણીથે એલો. 
 
મેથી દાણા - 1-2 ચમચી મેથીદાણા રાત્રે એક ગ્લાસમાં પલાળી દો. સવારે ખાલી પેટ આ પાણીને પી લો અને પલાળેલી મેથીની દાળની શાકભાજી બનાવી લો અથવા કાચી પણ ખાઈ શકો છો. 
 
લીમડો - લીમડાની કાચી કૂંપળ કે લીમડાના પાનનુ ચૂરણ પાણીથી લેવાથી વધેલી શુગરનુ લેવલ ઓછુ થઈ જાય છે.  ઘઉં, જૌ અને ચણાના લોટ મિક્સ કરીને ખાવુ. ડુંગળી અને લસણનું સેવન પણ ડાયાબીટિઝમાં ફાયદાકરી છે. 
 
ઉપર બતાવેલ વસ્તુઓ એકસાથે ન લેવી બદલી બદલીને ખોરાકમા સામેલ કરવી જોઈએ. અને સમય સમય પર બ્લડ શુગર લેવલ પણ ચેક કરાવવુ જોઈએ જેથી શુગર લેવલ સામાન્યથી ઓછુ ન થાય.  તમે જે પણ વસ્તુઓ તમારા ડાયેટમા લેવાનું શરૂ કરો એ અંગે તમારા ડોક્ટરની સલાહ જરૂર લો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Indigo Flights cancelled થઈ તો પોતાના રિસેપ્શનમાં ન જઈ શક્યુ કપલ, ઓનલાઈન કર્યુ અટેંડ

Video મારી પુત્રીને પૈડ જોઈએ... એયરપોર્ટ પર બેબસ પિતાની ચીસ સાંભળીને ચોંકી જશો, ઈંડિગોની બેદરકારી પર ભડક્યા યુઝર્સ

કેટલી ઘટી જશે હોમ લોન, કાર લોનની EMI? RBI ના વ્યાજ દર ઘટવાથી કેટલી પડશે અસર

જેલમાં થઈ મુલાકાત, પ્રેમ, લગ્ન અને બાળક.... 6 વર્ષ પહેલા ફરલો લઈને ભાગ્યા પતિ અને પત્નીના હત્યારા કપલ ની લવ સ્ટોરી

જલ્દી ઉડશે IndiGo ફ્લાઈટ, DGCA એ પરત લીધો રોસ્ટર પર પોતાનો આદેશ, એયરલાઈંસ કંપનીઓને મળી રાહત

વધુ જુઓ..

ધર્મ

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ
Show comments