Dharma Sangrah

Deshi Upchar: ખાંસીનો ઘરેલુ ઉપચાર

Webdunia
રવિવાર, 25 નવેમ્બર 2018 (08:14 IST)
કોઇપણ ઋતુ હોય પણ કેટલાક લોકોને શરદી અને ઉધરસની સમસ્યા હંમેશા સતાવતી રહે છે દવાઓ કરતાં જો ઘરગથ્થું ઉપચાર કરવામાં આવે તો  સારા પરિણામ આપી શકે છે. તો જાણી લો ઉધરસ દૂર કરવાના આ ઘરગથ્થુ ઉપાયો..
 
- ગરમ કરેલ પાણીમાં મીઠું અને બે લવીંગનું ચૂર્ણ નાખી સવાર-સાંજ કોગળા કરવાથી ગળામાંથી કફ નીકળી જઇ ખાંસી મટે છે. મીઠું અને લવીંગ બંને જંતુ નાશક છે. 2-3 દિવસ આ ઉપાય કરવાથી ભારે ખાંસી પણ મટે છે.
 
=  હુંફાળું ગરમ પાણી જ પીવું, સ્નાન પણ નવશેકા પાણી થી કરવું. જેમ બને તેમ વધારે કફ નીકળી જાય તે માટે જ્યારે પણ ગળામાં કફ આવે કે તરત થૂકતા રહેવું. વધારે ખટાશવાળા, ચિકાસવાળા, ગળ્યા, તેલવાળાં પદાર્થોનું સેવન ન કરવું. ઠંડી હવા અને ઠંડા તથા ઠંડી પ્રકૃત્તિવાળાં પદાર્થોનું સેવન પણ ન કરવું.
 
-  દર ચારેક કલાકે બબ્બે ત્રણ-ત્રણ લવીંગ મોં માં રાખી ચસતા રહેવાથી ગમે તેવી ખાંસી-સૂકી, ભીનીં કે કફ યુક્ત થોડા દિવસોમાં મટી જાય છે.
 
-  તુલસીના 8-10 તાજા પાન ખૂબ ચાવીને દરરોજ સવાર, બપોર, સાંજ ચાવતા રહેવાથી ગમે તે પ્રકારની ખાંસી કાબૂમાં આવી જાય છે.
 
-  મૂઠીભર સેકેલા ચણા ખાઇ, ઉપર પાણી પીવાથી ઉધરસ ઓછી થાય છે.
 
-  નાની એલચી તવી પર બાળી, કોયલો કરી, ધૂમોડો નીકળી જાય એટલે વાસણ ઢાંકી દેવું. તેનું ¾ ગ્રામ ચર્ણ ઘી તથા મધ સાથે દિવસમાં ત્રણ વાર ચાટવાથી સૂકી ખાંસી મટે છે.

- 10-15 તુલસીના પાન, 8-10 કાળી મરીની ચા બનાવીને પીવાથી સૂકી ઉધરસમાં ફેર પડે છે.

-  મરીના બારીક પાઉડરમાં થોડો ગોળ મેળવી સાધારણ કદના ગોળીઓ બનાવવી. દર બે કલાકે આ ગોળી ચૂસ્તા રહેવાથી કોઇપણ પ્રકારની ખાંસી મટે છે. નાના બાળકોને પણ આ આપી શકાય.
-  દર ત્રણ કલાકે એક ચમચી તાજા માખણમાં વાટેલી સાકર નાખી ધીમે ધીમે ચાટી જવાથી સૂકી ખાંસી જડમુડથી મટે છે. નાના બાળકોમાં તો આ પ્રયોગ ખરેખર આર્શિવાદ રુપ છે, કેમ કે બાળક હોંશે હોંશે સાકર-માખણ ખાસે અને ખાસી મટી જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Jammu Kashmir Fire- જમ્મુ અને કાશ્મીરમાં આગ, ચાર ઘર બળીને ખાખ થઈ ગયા

Asia Cup: સેમીફાઈનલની 4 ટીમો પાક્કી, પાકિસ્તાન નહી, આ ટીમ સાથે થશે ભારતનો મુકાબલો

Surat Fire: સૂરતની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

કોણ છે 23 વર્ષના અશોક શર્મા, SMAT મા તોડ્યો છે ઓલટાઈમ રેકોર્ડ ? IPL માં 9000000 રૂપિયામાં બન્યા આ ટીમનો ભાગ

આ ખેલાડીએ ક્રિકેટ છોડી દેવાનુ બનાવી લીધુ હતુ મન, હવે ઑક્શનમાં 14.2 કરોડ મા વેચાતા મચી ખલબલી

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

આગળનો લેખ
Show comments