Festival Posters

વિશ્વ સ્વાસ્થ્ય દિવસ : આવો સ્વસ્થ રહેવા માટે આટલુ કરીએ

Webdunia
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન( WHO) દ્વારા 7 એપ્રિલના દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસના માધ્યમ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો ધ્યેય લોકોને ખાસ રૂપે એચઆઈવી, ક્ષય રોગ, મેલેરિયા જેવી મહાબીમારીઓ માટે જાગૃત કરવાનો છે.

આજે વિશ્વ ચિકિત્સાના ક્ષેત્રમાં ઘણું આગળ વધી ગયું છે, પણ બીજી તરફ લોકોની કથળતી જતીં જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્યને લઇને આજે વ્યક્તિએ પોતે વધુ જાગૃત થવાની જરૂર છે. આવો, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિતે આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં અને સમગ્ર જીવન દરમિયાન આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે કેટલાંક સંકલ્પ કરીએ...

સંતુલિત આહાર - વ્યસ્ત બનતી જતી જીવનશૈલીને કારણે આ નિયમ જાળવવો લોકો માટે દિવસેને દિવસે અઘરો બનતો જઇ રહ્યો છે. પણ થોડો સમય ફાળવીને, ધ્યાન દઇને જો સંતુલિત આહારનું સેવન કરશો તો તમારા શરીરને તમે અનેક બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડશો. કારણ કે તમારો આહાર જ તમારા સ્વાસ્થ્યનું નિર્માણ કરે છે.

વ્યાયામ અપનાવો - આજે તણાવ અને ભાગદોડથી ભરેલું જીવન તો બહુ સામાન્ય બની ગયું છે. આ સમસ્યાઓથી બચવા વ્યાયામ કરો અને ફિટ રહો.

સમયસર તપાસ કરાવો - બીમારીઓથી બચવું હોય તો કોઇપણ બીમારીમાં ચિકિત્સા કરાવવામાં સહેજપણ વિલંબ કે આળસ ન કરશો. તેની સમયસર તપાસ કરાવી યોગ્ય દિશામાં દવા લેવાનું શરૂ કરજો.

તણાવમુક્તિ - તણાવમુક્ત થઇને તમે તમારા તમામ કાર્યો સરળતાથી અને સમયસર કરી શકો છો. માટે તણાવમુક્ત થવાનો પ્રયાસ કરો.

પૂરતી ઊંઘ - તણાવમુક્ત રહેવા માટે પૂરતી ઊંઘ પણ એટલી જ જરૂરી છે. સમયસર ઊંઘવાની અને સમયસર જાગવાની ટેવ પાડો.

જોકે, બીમારી કોઇને પણ, ગમે ત્યારે થઇ શકે છે. માટે તેનાથી બચવાના દરેક સંભંવ પ્રયાસો કરતા રહો. આ માટે ઉપરની ખાસ ટેવો અપનાવી આજીવન તમે સ્વસ્થ-તંદુરસ્ત રહી શકશો.
વધુ જુઓ..

જરૂર વાંચો

મમતા બેનર્જીએ ભવાનીપુરથી ઉમેદવારી નોંધાવી, હાઈ-વોલ્ટેજ બેઠક પર સુવેન્દુ અધિકારી સામે ટક્કર

8 અને 9 એપ્રિલ માટે ઓરેન્જ એલર્ટ, 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા, ખેડૂતોની ચિંતામાં વધારો

ખરગે એ ગુજરાતવાળા નિવેદન પર માફી માંગી, કોંગ્રેસની ઓફિસની બહાર ગુજરાતી સમુદાયનો હલ્લાબોલ

ભાજપનું મિશન ક્લીન: અમદાવાદના 12 વોર્ડમાં ઉતરશે નવયુવાન પેનલ, માત્ર સક્રિય હોદ્દેદારો જ થશે રિપીટ

અમદાવાદમાં બે દિવસથી જે બૈટરના ડોસા ખાઈ રહ્યા હતા એ બન્યુ ઝેર, બે માસુમ બહેનોએ ગુમાવ્યો જીવ, માતા-પિતાની હાલત ગંભીર

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

Show comments