rashifal-2026

આરોગ્ય - પિતનળીનો કમળો.. કેન્સર સુધી પહોંચે તે પહેલા સાવધ રહો

Webdunia
સોમવાર, 28 ડિસેમ્બર 2015 (17:01 IST)
પિત નળી જે લિવરનાં પિત રસને નાના આંતરડા સુધી પહોંચાડે છે. પિત નળીમાં પથરી થાય કે ગાંઠ થાય તો પિત આંતરડા સુધી પહોંચી શકતું નથી. જેમને લીધે લિવરમાં પિતનો સંગ્રહ થાય છે. તે પિત ચામડીમાંથી, પેશાબમાંથી નીકળે છે અને આંખોમાં પીળાશ દેખાય છે. પિત નળી અને લિવરમાં લાંબો સમય રહેવાથી ચેપ લાગે છે જેને લીધી દર્દીને ભૂખ નથી લાગતી, ઠંડી લાગીને તાવ આવે છે તેમજ ખંજવાળ આવે છે. જયારે પિત નળી બંધ થાય ત્યારે પેશાબ વધુ પડતો પીળો આવે છે તેમજ સંડાસનો કલર સફેદ થતો જાય છે. પિત નળીમાં કમળો થાય ત્યારે દર્દીને પેટમાં દુ:ખાવો થાય છે. તેમના નિદાન માટે પેશાબ તેમજ લિવર ફંકશન ટેસ્ટ જેવા કે બિલિરુબીન, આલ્કલાઈન ફોસ્રેઝ, ગામા જીટી જેવા લોહીના રિપોર્ટ કરાવવા જોઈએ.
સોનોગ્રાફી, સિટીસ્કેન અને એમ.આર.આઈ. (એન.આર.સી.પી.) જેવા રિપોર્ટ કરાવવા જોઈએ. જો રિપોર્ટ પ્રમાણે કેન્સર આવે તો લોહીમાં સી.એ.19.9નો રિપોર્ટ કરાવવો જોઈએ. રિપોર્ટના આધારે તેમની સારવાર દૂરબીન કે ઓપરેશનથી શકય છે.
આજ થી 15 વર્ષ પહેલા પિત નળીમાં પથરીને લીધે કમળો થાય તો ઓપ્ન સર્જરી કરાવવી પડતી અત્યારનાં સમયમાં તે પથરી દૂરબીન વડે પિત નળી ખોલીને પથરી નીકળી શકે છે અને મોટા ઓપરેશન કરવાની જર પડતી પણ નથી.
જે દૂરબીનથી કાઢવાની પધ્ધતિને (ઈ.આર.સી.પી.)કહે છે. ઈ.આર.સી.પી. એટલે એનસ્કોપીક રિટ્રોગ્રેડ કોલેજીયો પેનક્રીયાટોગ્રાફી કહે છે. જેમાં બહારથી કોઈ કાપ-કૂટ નથી આવતી. તે કોમ્પ્યુટરમાં જોઈને કરી શકાય છે. તેજ વખતે પથરી કાઢયા પછી બે મહિના માટે પ્લાસ્ટિકની નળી મૂકવામાં આવે છે જેમને સ્ટેન્ટ કહે છે.
જયારે કેન્સરનાં લીધે પિત નળી બંધ થાય ત્યારે વધુ કમળો હોય તો દૂરબીન વડે કેન્સરની ગાંઠની બાયોપ્સી તેમજ ગાંઠની અંદરથી પ્લાસ્ટિકની સ્ટેનટ લિવર સુધી મુકવામાં આવે છે. ઘણી વખતે ઉમર લાયક દર્દીઓમાં કેન્સરની ગાંઠનું ઓપરેશન શકય ન હોય તો પ્લાસ્ટિકને બદલે મેટલ (સ્ટીલ)નો સ્ટેન્ટ બેસાડવામાં આવે છે. દૂરબીનની તપાસનાં (ઈ.આર.સી.પી)ના ઘણાજ ફાયદા છે. જેવા કે એક દિવસનું જ હોસ્પિટલ રોકાણ હોય છે. બહારથી કંઈ ટાંકા આવતા નથી. ટોપી (એનેસ્ગથેસિયા)નું જોખમ ઘણું ઓછું હોય છે તેમજ બ્લડ ચડાવવાની જરિયાત રહેતી નથી હોતી.
ઈ.આર.સી.પી.નાં થોડા ગેરફાયદા હોય છે જેવા કે સ્વાદુપિંડમાં સોજો આવવો, પિત નળીમાં ચેપ લાગવો, પિત નળી ખોલવાથી લોહી નીકળવું, નાના આંતરડામાં છિદ્ર થવું આ બધા ગેરફાયદાનો ઈલાજ પણ શકય છે. પિત નળીનો કમળો થવાનાં ઘણા બધા બીજા કારણો છે. જેવા કે, પિત નળીમાં કૃમિ થવી, પિત નળી સંકોચાવી, પિત નળી સૂકાવી તે બધાનો ઈલાજ શકય છે.
નાના બાળકોમાં જન્મથી જ પિત નળી ફુલેલી જોવા મળે છે. જેમને દૂરબીનથી પણ ખોલી શકાય છે. પિત નળીનો વા થવાથી પિત નળી સંકોચાય છે તેવા દર્દીમાં લિવર બદલાવાથી મટી શકે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

કોણ છે સારા રિઝવી ? ગુજરાતની પહેલી મુસ્લિમ મહિલા આઈપીએસ જે હાલ જમ્મુ-કાશ્મીરમાં નિભાવશે ડ્યુટી

Gujarat Politics: મિશન 2027 માં લાગ્યુ છે આમ આદમી પાર્ટી નુ 'ઓપરેશન ઝાડૂ', ગુજરાતમાં બીજેપી-કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો

ટુકડા-ટુકડા કરી અંદર જ મુકી છે લાશ...ગાજિયાબાદમાં મકાન માલિકની હત્યા કરનારા ભાડૂઆતની કબૂલાત

Under 19 Asia Cup Semifinal : કેટલા વાગ્યાથી શરૂ થશે ભારત બનામ શ્રીલંકા સેમીફાઈનલ, આ ચેનલ પર જોઈ શકશો લાઈવ

IND vs SA 5th T20 : અમદાવાદમાં કેવો છે ટીમ ઈંડિયાનો રેકોર્ડ ? અંતિમ મેચમાં આ 2 ખેલાડીઓના રમવા પર સસ્પેંસ

વધુ જુઓ..

ધર્મ

Dhanurmasam 2025- ધનુર્માસ પ્રારંભ, ધનુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

Show comments