Webdunia - Bharat's app for daily news and videos

Install App

જરૂર કરો હનુમાનજીના આ ઉપાય, દૂર થશે ધન મેળવવામાં આવતા અવરોધો

હનુમાન ચાલીસા
Webdunia
ગુરુવાર, 2 એપ્રિલ 2020 (09:44 IST)
હનુમાનજી માટે ખાસ ઉપાય કરશો તો કુંડળીના ગ્રહ દોષ દૂર થઈ શકે છે અને ધન કાર્યમાં આવતા અવરોધો પણ દૂર થઈ જાય છે અને ગરીબી દૂર થઈ શકે છે. 

*હનુમાનજી શિવજીના જ અંશાવતાર છે આ કારણે હનુમાનજીની પૂજાથી શિવજી, મહાલક્ષ્મી અને બધા દેવી-દેવતા પણ પ્રસન્ન થાય છે. 
 
*ઘઉંના લોટનો દીપક બનાવો. એમાં તેલ નાખો અને રૂથી બનેલી દિવેટ મુકો. આ દીપક હનુમાનજી સામે પ્રગટાવો. 
 
*દરેક મંગળવારે હનુમાનજીને સિંદૂર, ચમેલીનું તેલ, લાલ વસ્ત્ર, લાલ ફૂલ ચઢાવો. આ ઉપાયથી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે. 
 
*હનુમાનજી સામે એક નારિયેળને તમારા માથા પરથી સાત વાર ઉતારી લો. ત્યારબાદ એ  નારિયેળને વધેરી નાખો. ભગવાનને ફૂલ -પ્રસાદ અર્પિત કરો. 
 
*લાલ મસૂરની દાળનું  દાન કરો. આ ઉપાયથી મંગળ ગ્રહ દોષ શાંત થઈ શકે છે.  મસૂરની દાળને શિવલિંગ પર પણ અર્પિત કરી શકો છો.  
 
*શિવલિંગ પર લાલ પુષ્પ અર્પિત કરો. શિવલિંગ પર લાલ ફુલ ચઢાવવાથી મંગળ ગ્રહ પ્રસન્ન  થાય છે. હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.  
 
*પીપળના 11 પાંદડા લો અને તેના પર ચંદનથી શ્રીરામના નામ લખી. બધા પાંદડા પર રામનામ લખ્યા પછી તેની માળા બનાવો અને હનુમાનજીને ચઢાવો. 
 
*એવા તળાવ કે સરોવર પર જાવો જ્યાં માછલીઓ હોય. ત્યાં પહોંચીને માછલીઓને લોટની ગોળી બનાવીને ખવડાવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

Happy Ram Navami 2025 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

Bhandara Bhojan- ભંડારામાં ભોજન ન ખાવું જોઈએ, જાણો કારણ

Ram Navami 2025- સુખ અને સૌભાગ્ય વધારવા માટે રામનવમીના દિવસે શું કરવું અને કઈ વસ્તુઓ ટાળવી? જાણો..

Navratri Havan- નવરાત્રી માં ગાયના છાણથી હવન શા માટે કરવામાં આવે છે? મહત્વ જાણો

આગળનો લેખ
Show comments