Webdunia - Bharat's app for daily news and videos

Install App

Healthy Breakfast Recipes - લીલા વટાણાના પરોઠા

Webdunia
શુક્રવાર, 13 જાન્યુઆરી 2023 (12:52 IST)
જરૂરી સામગ્રી - Ingredients for Matar Parantha
 ઘઉંનો લોટ - 400 ગ્રામ (2 કપ)
તેલ - 2 ચમચી
મીઠું - સ્વાદ મુજબ (3/4 ચમચી)
વટાણાના લોટ માટે
લીલા વટાણા - 500 ગ્રામ (છાલવાળા વટાણા એક કપ)
મીઠું - સ્વાદ મુજબ (1/2 ચમચી)
લીલા મરચા - 2
આદુ - અડધો ઇંચ લાંબો ટુકડો
લાલ મરચું - 1/6 ચમચી
ધાણા પાવડર - 1 ચમચી
લીલા ધાણા - 1 ચમચી (બારીક સમારેલી)
 
બનાવવાની રીત  - How to make Matar Parantha
 
લોટને કોઈ વાસણમાં ચાળો, મીઠુ અને તેલ નાખીને કુણા પાણીથી નરમ લોટ બાંધી લો 
બાંધેલા લોટને 15-20 મિનિટ માટે ઢાંકીને મુકો 
 
લીલા વટાણાનો મસાલો તૈયાર કરો 
વટાણાના દાણાને હળવા નરમ થતા સુધી બાફી લો. પાણી કાઢી લો. ઠંડ થાય એટલે વાટી લો 
હવે લીલા મરચાને ધોઈને ઝીણા સમારી લો. આદુ છીણી લો આ બંનેને વાટી લો 
વાટેલા વટાણાની પેસ્ટમાં મીઠુ અને આદુ મરચાની પેસ્ટ, લાલ મરચુ, ધાણાજીરુ અને લીલા ધાણા નાખીને સારી રીતે મિક્સ કરો.  
 
 
ગેસ પર તવો ગરમ કરવા માટે મુકો. બાંધેલા લોટમાંથી લીંબુ બરાબર લોઈ લઈને ગોળ કરો અને સૂકો લોટ લગાવીને 2 1/2 કે 3 ઈંચના ગોળાકારમાં વણો. વણેલા પરાથા પર ચમચીથી થોડુ તેલ લગાવો. હવે એક કે દોઢ ચમચી વટાણાનો મસાલો ભરીને તેલ લગાવેલા ભાગ પર મુકો.  
 
હવે પરાઠાને ચારેબાજુથી પકડીને બંધ કરો.  બંને હાથ વચ્ચે મુકીને દબાવીને થોડી મોટી કરી લો.  તેને સૂકો લોટ લગાવીને વેલણથી હળવા હાથથી 6-7 ઈંચના વ્યાસમાં વણો.  પરાઠા વણતી વખતે ફાટવા ન જોઈએ.  વણેલા પરાઠાને ગરમ તવા પર નાખો.  બંને બાજુ તેલ લગાવો અને બંને બાજુથી પલટાવીને બ્રાઉન થતા સુધી સેકી લો.   

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

'વાઈરલ ગર્લ મોનાલિસા' ની સુંદરતા બની માથાના દુખાવો, કુંભમેળો છોડવા મજબૂર થઈ

Mahakumbh 2025 Akhada: અખાડાઓ કેવી રીતે અને શા માટે બનાવવામાં આવ્યા હતા? તેને બનાવવા પાછળનો શું હતો ઉદ્દેશ્ય, જાણો અખાડાનો ઇતિહાસ

Maha Kumbh 2025: મહાકુંભમાં જનારા ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ કરશે રાજ્ય સરકાર, આપશે આ સુવિદ્યાઓ

રામાયણની વાર્તા: રાવણના દસ માથાનું રહસ્ય

Sankashti Chaturthi: આજે 2025 ની પહેલી સંકટ ચોથ, કરો આ 5 ઉપાય લંબોદર ગણેશ દરેક અવરોધ દૂર કરશે!

આગળનો લેખ
Show comments