Dharma Sangrah

રવીન્દ્ર નાથ ટૈગોર: એવા કવિ જેમની કવિતાઓમાંથી 3 દેશોએ લીધા રાષ્ટ્રગીત

Webdunia
શનિવાર, 7 મે 2022 (11:06 IST)
નવલકથાકાર, નાટ્યકાર, ચિત્રકાર અને કવિ રવિન્દ્રનાથ ટાગોર આજે તેમની જ્ન્મજયંતિ છે. આજના જ  દિવસે 7 મે  1861 ના રોજ તેમનો જન્મ થયો હતો . શું તમે જાણો છો કે તેમની રચનાઓમાંથી બે દેશોનું રાષ્ટ્રગીત  લેવામાં આવ્યું હતું. આટલુ જ નહી એક અન્ય દેશ પણ છે જેનુ  રાષ્ટ્રગીત પણ તેમની રચનાથી પ્રભાવિત છે. ચાલો આપણે જાણીએ, તેમના વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જે તમે કદાચ નહીં જાણતા હોય. 
 
ભારતનું રાષ્ટ્રગીત, જન ગણ મન અધિનયક, મૂળ રૂપથી ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા બંગાળી ભાષામાં લખવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત પણ તેમની કવિતામાંથી લેવામાં આવ્યું હતું જેમાં બાંગ્લાદેશની પ્રશંસા છે. એમ કહેવામાં આવે છે કે શ્રીલંકાના રાષ્ટ્રગીતનો એક ભાગ પણ તેમની કવિતાથી પ્રેરિત છે. આ રીતે  ત્રણ દેશોના રાષ્ટ્રગીતમાં તેમની કવિતાની છાપ છે. ગુરુદેવનો જન્મ 7 મે 1861 ના રોજ કોલકાતામાં થયો હતો.
 
રવીન્દ્રનાથ તેના માતાપિતાના તેરમા સંતાન હતા. બાળપણમાં, તેમને પ્રેમથી 'રબી'  કહીને બોલાવવામાં આવતા હતા. 8 વર્ષની ઉંમરે, તેમણે પ્રથમ કવિતા લખી, 16 વર્ષની ઉંમરે, તેમણે વાર્તાઓ અને નાટકો લખવાનું શરૂ કર્યું.
 
ગુરુદેવ રવીન્દ્ર નાથ માનવતાવાદી વિચારક હતા. તેમણે સાહિત્ય, સંગીત, કળા અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં પોતાની આગવી પ્રતિભાનો પરિચય આપ્યો.  તાવી. તે માત્ર ભારત જ નહીં પરંતુ એશિયાના પ્રથમ વ્યક્તિ પણ હતા જેમને નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો. એવું કહેવામાં આવે છે કે નોબેલ પુરસ્કાર પણ ગુરુદેવે  સીધો સ્વીકાર્યો ન હતો. તેમની વતી બ્રિટિશના એક રાજદૂતે આ એવોર્ડ લઈને તેમને સોપ્યો.  1913 માં તેમની કૃતિ ગીતાજલિના માટે તેમને નોબેલ એનાયત કરાયો હતો.
 
51 વર્ષની ઉંમરે તે પુત્ર સાથે ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. ભારતથી દરિયાઇ માર્ગે ઇંગ્લેંડ જતાં, તેમણે તેમના કાવ્યસંગ્રહ ગીતાંજલિનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું શરૂ કર્યું. રવીન્દ્ર સંગીત બાંગ્લા સંસ્કૃતિનું  એક અભિન્ન અંગ બની ગયુ  છે. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતથી પ્રભાવિત તેમના ગીતો, માનવ ભાવનાના વિવિધ રંગ પ્રસ્તુત કરે છે. પછીના દિવસોમાં ગુરુદેવે  ચિત્રકામ પણ શરૂ કર્યું હતુ. રવીન્દ્રનાથે અમેરિકા, બ્રિટન, જાપાન, ચીન સહિત ડઝનેક દેશોની યાત્રા કરી હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આઈસીસી ODI રેન્કિંગમાં વિરાટ કોહલી બન્યો નંબર 2 બેટ્સમેન, રોહિત શર્મા નંબર 1 પર કાયમ

રશિયાના સેન્ટ પીટર્સબર્ગ પર હુમલા પછી લાગી ભીષણ આગ, પ્રંચડ બોમ્બ વિસ્ફોટોથી ધ્રૂજી ઉઠ્યું શહેર

નેહરુ, ઇન્દિરા, સોનિયા કોંગ્રેસના 3 મત ચોરી... અમિત શાહનાં 1:30 કલાકના ભાષણની 10 મહત્વપૂર્ણ વાતો

Silver Price Hike- ચાંદી 2 લાખને વટાવી જશે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

કંગના રનૌતે લોકસભામાં કહ્યું કે પીએમ મોદી લોકોના દિલ હેક કરે છે, EVM નહી

વધુ જુઓ..

ધર્મ

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments