સુરતના ઉધના વિસ્તારમાં આવેલા વિષ્ણુનગરમાં રહેતા સાડત્રીસ વર્ષના અશોક પાટીલને પોતાના પ્રાઈવેટ પાર્ટ પર ગંભીર ઈજા થતા તેણે સિવિલ હોસ્પીટલમાં દાખલ થવું પડયું હતુ. ઈજા વિચિત્ર હતી એટલે કેસ હાથમાં લેતા પહેલા પોલીસમાં ફરીયાદ દાખલ કરવાનો નિયમ લાગુ કરવામાં આવતા અશોક પાટીલે જે ફરીયાદ લખાવી એ સાંભળીને પોલીસ સ્ટેશનન કર્મચારીઓને સમજાતુ નહોતુ કે તે આ ફરીયાદ પર હસે કે પછી રડે. અશોક પાટીલે ફરીયાદમાં લખાવ્યુ હતુ કે તેને કોઈની સાથે આડા સંબંધો હોવાની શંકાના આધારે છેલ્લ થોડ સમયથી તેની વાઈફ દરરોજ તેને નેકેડ કરીને મારે છે.
પોતાના જ વિસ્તારમાં રહેતી એક મહિલાને અશોકભાઈએ ઉછીના રૂપિયા આપ્યા હતા, જેની વાત તેણે વાઈફથી છુપાવી હતી. આ વાત વાઈફને ખબર પડતા તે બરાબરની ભડકી ગઈ અને તેણે અશોકભાઈને પહેલી વખત માર માર્યો. એ સમયે અશોકભાઈ કપડ ચેન્જ કરતા હતા, પણ વાઈફના મારને કારણે તે નેકેડ થઈ ગયા. બસ, પછી વાઈફે દરેક વખતે તેને એ જ દિગમ્બર હાલતમાં જ માર માર્યો. બુધવારે રાતે અતિશય માર મારતા અશોકભાઈને પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજા થઈ અને તે સિવિલ હોસ્પીટલમાં ગયા એટલે આખી વાત બહાર આવી. અશોકભાઈએ પોલીસ તો ઠીક એ સમયે હાજર રહેલા ડોકટરોને પણ કહ્યુ હતુ કે મને મારી વાઈફથી પ્લીઝ બચાવો.
અશોકભાઈની વાઈફનું નામ કાયદાની રૂએ પોલીસ ડિપાર્ટમેન્ટ જાહેર કરવા માટે તૈયાર નથી અત્યારે તે સુરતમાં જ પોતાના પિયરમાં છે. પોલીસ હવે આ કેસની ઈન્કવાયરી કરશે