Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોલીસ પર તોડ કરવાનો આક્ષેપ કરતા મોઢવાડિયાને સમન્સ પાઠવાયું, મહિલા પીએસઆઈ એ આગોતરા જામીન માંગ્યા

Webdunia
ગુરુવાર, 12 મે 2016 (11:57 IST)
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં મહેફિલ દરમિયાન રેડ કરનાર પીએસઆઇ પર તોડનો આરોપ કરનાર અર્જૂન મોઢવાડિયાને નિવેદન માટે અને પુરાવા રજૂ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમન્સ મોકલવામા આવ્યું છે. જ્યારે મહિલા પીએસઆઇ સી.બી.જાડેજા, લાંચ આપનાર વચેરિયાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અર્જૂન મોઢવાડીયાએ પુરાવા રૂપે રજૂ કરેલી ઓડિયો ક્લિપમાં મહિલા પીએસઆઈ સી.બી જાડેજા 4 લાખના સેટીંગની વાત કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યાર બાદ તપાસ ક્રાઈમ બ્રાંચને સોપી દેવામાં આવી હતી ત્યારે હવે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઈ મુસ્તાકઅલી મસી ફરિયાદી બનીને જેના પર તોડ કરવાનો આરોપ લાગ્યો છે એ મહિલા પીએસઆઈ સી બી જાડેજા, રૂપિયાની ઓફર કરનાર અને વચેટિયા જે છે એ તમામની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં તપાસ કરનાર અધિકારી સી. એન. રાજપૂત દ્વારા આશાવરી ફ્લેટ આસપાસના રહેવાસી સિક્યુરીટી ગાર્ડના નિવેદન લેવા સાથે જ સીસીટીવી ફૂટેજ કબજે કરવા અંગે તપાસ હાથ ધરી છે. લાંચ કેસમાં જે લોકોના નામ સામે આવી રહ્યા છે એ અને વચેટિયા તરીકે ફરજ બજાવનાર પોલીસ કર્મચારી કોણ છે એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.તો બીજી તરફ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે આ મામલે ઘણા લોકોને સમન્સ આપવામાં આવ્યા છે. જેમાં અર્જુન મોઢવાડીયાનો સમાવેશ થાય છે. તેમને પુરાવા રજુ કરવા માટે અને નિવેદન નોંધવા માટે સમન્સ આપવામાં આવ્યું હોવાનું પોલીસ જણાવી રહી છે.મહિલા પીએસઆઇ સી.બી.જાડેજા પોતાના પર તોળાતી કાર્યવાહીને લઇને આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. જેના પર આવતીકાલે સુનાવણી હાથ ધરવામા આવશે.

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments