- સમગ્ર ગુજરાતમાં નબળાં-ગરીબ લોકોને દબાવવામાં આવે છે. આ ગાંધીજી, સરદાર પટેલ, નહેરુજી અને બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ સંઘ અને મોદીની વિચારસણીની લડાઈ છે: રાહુલ ગાંધી
- મોદીજી ગુજરાત મોડેલની વાતો કરે છે, પરંતુ તેમની વિચારસરણી વિરુદ્ધ જનારા લોકોનો અવાજ દબાવી દેવાય છે: રાહુલ
- અમદાવાદમાં ખાનપુર ખાતે BJP અનુસૂચિત મોરચાની બેઠક યોજાઈ
- જેતપુરમાં શાળા-કોલેજો કરાઈ બંધ
- પ્રદેશ કૉંગ્રેસ તરફથી દલિત પીડિત પરિવારને અપાશે રૂ.5 લાખ
આણંદના પેટલાદ ખાતે દલિત સમાજની રેલી, પેટલાદમાં પણ દલિત સમાજે આક્રોશ વ્યક્ત કરીને રેલી યોજી હતી. પોલીસનો મોટો કાફલો આ દરમિયાન હાજર રહ્યો હતો. આણંદના SP સહિતના પોલીસ અધિકારીઓ રેલી સ્થળે હાજર રહ્યાં હતાં.
વડોદરા - મહિલાઓ સહિત 300નું ટોળુ આજે વડોદરામાં રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું. સૂત્રોચ્ચાર-પ્લેકાર્ડ સાથે ઉનાની ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં મહિલાઓએ થાળી વેલણ સાથે દેખાવો કર્યા હતાં. વડોદરાનો પાદરા-જંબુસર હાઈવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે.
- અમદાવાદના ધોળકામાં દલિત સમાજે રેલી યોજી. દલિત સમાજ દ્વારા પોલીસ પર પથ્થરમારો કરાયો હતો. પોલીસે લોકોને વિખેરવા માટે ટિયરગેસના શેલ છોડ્યાં હતાં
- દલિતોને ગેરમાર્ગે દોરવાનું કામ રાજકીય પક્ષો કરી રહ્યા છે ગૌસેવકો આ પ્રકારનું કામ કરી શકે જ નહી.. આ કામ તો લુખ્ખાઓનું છે - વિક્રમ ચૌહાણ
- મોડીરાત્રે રાજકોટના હહૃદયસમાં કાલાવડ રોડ પર કોસ્મો પ્લેક્સ સિનેમાથી મવડી વચ્ચે 200 થી 300 દલિતોનું ટોળું એકત્ર થયું છે
- ટાયરો સળગાવ્યા રોડ બ્લોક થઈ ગયો
- પસાર થતા વાહનો ઉપર પથ્થરોના ઘા ઝીકાય છે
- ભારે ટ્રાફિક જામ
- પોલીસ કાફલો દોડી ગયો
રાજ્યસભામાં બસપાના નેતા માયાવતીએ ઉનાના દલિતો પર ગુજારવામાં આવેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યા પછી ગુજરાતમાં જ નહીં, આખા દેશમાં ખળભળાટ મચી ગયો છે. આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સમઢિયાળા આવવાના હોવાથી આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. એટલું જ નહીં, કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં સમઢિયાળા પહોંચી ગયા છે.
રાહુલ ગાંધી સવારે સાડા અગિયાર વાગ્યે દિવ એરપોર્ટ પર ઉતરાણ કરશે. જે બાદ રોડ માર્ગે સાડા બાર કલાકે ઉના પહોંચશે. જ્યાં ઉનાના સમઢિયાળામાં પીડિત પરિવારને મળશે. ત્યારબાદ બપોર બાદ 2 કલાકે રાજકોટ પહોંચશે. બપોરે અઢી કલાકે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અન્ય પીડિત યુવકોની મુલાકાત લેશે. અને ત્યારબાદ રાહુલ ગાંધી દિલ્લી જવા રવાના થશે.શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત પ્રવાશે આવનાર છે. કેજરીવાલ શુક્રવારે ઉનાના સમઢિયાળામાં પીડિતો સાથે મુલાકાત કરશે
સૌરાષ્ટ્રમાં દલિત આંદોલનના વધતા જતા વ્યાપને ધ્યાને લઇ સિનિયર આઇપીએસ અફસરોને વધારાની જવાબ દારીઓ સંભાળવા તાકીદના આદેશ રાજયના સ્ટેટ કન્ટ્રોલ મારફત અપાતા જેઓને આ જવાબદારી સુપરત થઇ છે તેઓએ તાત્કાલીક પોતાની ફરજ સંભાળી લઇ પરિસ્થિતિનુ નિરીક્ષણ પણ ચાલુ કરી દીધુ છે