Webdunia - Bharat's app for daily news and videos

Install App

ત્રાસવાદી જફર મસૂદનો પાસપોર્ટ ગુજરાતમાંથી ઈશ્યુ થયો હતો? મદદ કરનાર કાકા ભત્રીજાની ધરપકડ

Webdunia
ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2016 (16:09 IST)
અલ કાયદા તથા આઈએસઆઈ સાથે સાઠગાંઠ ધરાવતા એક ત્રાસવાદીને ઈશ્યૂ થયેલા પાસપોર્ટમાં મદદ કરનાર કાકા-ભત્રીજાની ધરપકડ સુરત એસઓજીએ કરી છે. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા કાકા-ભત્રીજાએ પાસપોર્ટના વેરિફિકેશનમાં મદદ કરી હોવાનું બહાર આવતાં બંનેની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે. ડિસેમ્બર-2015માં ત્રાસવાદી જફર મસૂદની દિલ્હીથી ધરપકડ થઇ હતી. ત્રાસવાદી જફર મસૂદ પાસેથી મળી આવેલા ચાર પાસપોર્ટમાંથી એક પાસપોર્ટ ગુજરાતના સુરતના સરનામાનો હતો. સેન્ટ્રલ આઈબી અને સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે લાંબી તપાસના અંતે રાંદેરમાં રહેતા સૈયદ પરવેઝ ગુરુમિયાં અને શેખ યાહ્યા ગુલામ મોહંમદની ધરપકડ કરી હતી. આઈબીએ જે તે સમયે સુરતમાં ધામા નાખ્યા હતા અને પાસપોર્ટની તપાસ હાથ ધરી હતી. કાકા- ભત્રીજાએ સાક્ષી તરીકે સહી કરી હોવાનું બહાર આવતાં આઈબીએ બન્નેને દિલ્હી બોલાવી પૂછપરછ હાથ ધરી હતી. જે તે સમયે બન્નેએ અજાણ હોવાનું રટણ ચાલુ રાખતાં આઈબીએ તેમને જવા દીધા હતા. રાંદેર રહેતા સૈયદ પરવેઝ ગુરુિમયાં અને શેખ યાહ્યા ગુલામ મોહંમદે વર્ષ 2002માં મૂળ યુપીના એવા આતંકી જફર મસૂદને પાસપોર્ટ કઢાવી આપવા માટે સાક્ષી તરીકે સહી કરીને મદદગારી કરી હોવાનું સ્પષ્ટ થયું હતું. એસઓજીએ બન્નેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતાં કોર્ટે બન્નેના 2 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments