Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે પાલનપુરથી ભાભર ઠાકોર ક્ષત્રિય સેનાની ન્યાયયાત્રા નીકળશે

Webdunia
ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2016 (12:43 IST)
વિજાપુરમાં પાટીદારોની યાત્રાનો ફિયાસ્કો થતાં ફરીવાર ભાભરના પોલીસ કર્મીના આપઘાત કેસમાં આરોપીઓની ધરપકડના મુદ્દે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ગુરુવારે પાલનપુરથી ભાભર સુધી ન્યાય યાત્રા કાઢવામાં આવનારી છે.  આ યાત્રાને મંજુરી મળી ન હોવાથી પોલીસ દ્વારા 300 પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે અને યાત્રા કઢાશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. ભાભર પોલીસમથકના નાગજી  સ્વરૂપજી ઠાકોરના આપઘાત કેસમાં સંડોવાયેલા આરોપીઓ ન પકડાતાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા 22મી સપ્ટેમ્બરે કાઢવામાં આવનારી પાલનપુરથી ભાભર વચ્ચેની ન્યાયયાત્રાને વહિવટીતંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી નથી.  છતાં પણ  ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ગુરુવારે પાલનપુરથી ભાભર વચ્ચે ન્યાય યાત્રા કાઢવામાં આવશે. જોકે, વહિવટીતંત્ર દ્વારા આ યાત્રાને મંજુરી આપવામાં આવી નથી. આ કેસમાં આઠ સામે ફરીયાદ નોંધાઇ હતી. જેમાં બે પોલીસ કર્મીઓમાં ધર્મેન્દ્ર વાઘેલા અને અશોક ચૌધરીની પોલીસે ધરપકડ કરી સસ્પેન્ડ કર્યા હતા. જ્યારે અન્ય સાત આરોપીઓમાં હરિભાઇ આચાર્ય, વૈકુંઠરામ ઠક્કર, કે.બી.રાઠોડ, ગેનીબેન ઠાકોર, ભુરાજી ઠાકોર, હરપાલસિંહ રાઠોડ અને પીએસઆઇ આર.જી.ચૌધરી ધરપકડથી બચવા ભૂર્ગભમાં જતા રહ્યા છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments