Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાઈબ્રન્ટ ગુજરાત MOU - મેમોરેન્ડમ ઓફ મીસ અન્ડર સ્ટેન્ડિંગ?

Webdunia
શનિવાર, 31 ડિસેમ્બર 2016 (14:38 IST)
ગુજરાતમાં આગામી સમયમાં વાઈબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે. જાન્યુઆરીની 10મી તારીખથી આ મહોત્સવ ગાંઘીનગરના પબ્લિસીટી હોલ કહેવાતા મહાત્મા મંદિરમાં આ ઉજવણી થશે. જેમાં દેશ વિદેશના નેતાઓ, ઉદ્યોગપતિઓ અને ડેલિગેશન ઉપસ્થિત રહેશે. આ લોકોને સાચવવા માટે અને વાઈબ્રન્ટ ગુજરાતના દર્શન કરાવવા માટે ગરીબ ગુજરાતીઓના ઝૂંપડા તોડાશે. આવા મેમોરેન્ડમ મીસ અન્ડર સ્ટેન્ડિંગમાં કેવી ઉજવણી થશે એતો બરાબર પણ લોકોની હાલત કેવી થશે એ વિચારવા જેવી બાબત છે.  આગામી સમયમાં ગુજરાતમાં યોજાનારા વાઇબ્રન્ટ સમિટમાં  ભાગ લેનારા મહેમાનોને સ્માર્ટ સીટીના દર્શન થાય તે માટે  અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન એસ.જી હાઇવે પર રહેતા ગરીબોની ઝુંપડીઓ હટાવવાની કામગીરી હાથ ધરી છે.ખાસ કરીને  આલીશાન હોટલોની આસપાસના ઝુંપડીઓને એએમસીના અધિકારીઓએ ખાલી કરવાના આદેશ પણ આપી દીધા છે.એટલું જ નહી આગામીે ૧૫ દિવસ સુધી ઝૂપડીઓ ફરી નહી  બાંધવાની ચેતવણી પણ આપવામાં આવી છે. એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ઝૂંપડીઓ હટાવવાથી બાળકો, મહિલા અને વયોવૃદ્ધને ઠંડીમાં રાત વિતાવવા માટે મજબૂર બન્યા છે.ઝૂપડાને પોતાનું ઘર માનીને રહેતા લોકો પાસે  પૂરતા પ્રમાણમાં ગરમ વસ્ત્રો કે શરીરને ઢાંકી શકાય એવી ચાદર પણ હોતી નથી. મોડી રાત્રિએ પડતી કાતિલ ઠંડી દરમિયાન ખુલ્લામાં સુઇ રહેતા લોકોની સ્થિતિ એક પ્રકારની સજા ભોગવતા હોય તેવી લાગે છે.વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે આવનાર મહેમાનો તો આલિશાન રૃમમાં રાત વિતાવશે પણ તેમના કારણે ગરીબોને ઠંડીમાં ખુલ્લામાં રાત વિતાવવી પડી રહી છે.અમદાવાદ શહેરની સાચી હકીકતને છૂપાવવા માટે ઝૂપડા બાંધીને રહેનારાઓને હેરાન કરવામાં આવે છે.વાઇબ્રન્ટ ગુજરાતના મહેમાનોની નજર સમક્ષ અમદાવાદને સ્માર્ટ શહેર રજૂ કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે આવનાર મહેમાનોને સારું દેખાડવાના અભરખામાં ગરીબોે ઝુપડાઓ વિહોણા બન્યા.
વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments