Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી ઉરીમાં શહીદ થયેલા જવાનોના બાળકોનો તમામ અભ્યાસ ખર્ચ ઉઠાવશે.

Webdunia
બુધવાર, 21 સપ્ટેમ્બર 2016 (14:27 IST)
ઉરીમાં થયેલા ત્રાસવાદી હુમલામાં સેનાના 17 જવાનો શહીદ થયાના સમાચારથી દેશભરના તમામ નાગરિકોના લોહી ઉકળી ઉઠ્યાં છે. ત્યારે  શહીદ સુનીલકુમારની દીકરી શાળાની પરીક્ષા આપીને બોલી હતી કે, ભણી ગણીને અમે પણ પાપા જેવી બનીશું. આ સમાચાર વાંચીને સુરતના ઉદ્યોગપતિ અને સમાજસેવી મહેશ સવાણીનું હ્રદય દ્રવી ઉઠ્યું હતું. તેમણે તુરંત જ નિર્ણય લીધો કે, ઉરી હુમલામાં શહીદ થયેલા તમામ જવાનોના સંતાનોના ભણતરનો પોતે ઉઠાવશે. દેશ સેવા કરવાની અને પપ્પાની ઈચ્છા મુજબ ભણી ગણીને આગળ વધવાની શહીદની પુત્રીની ઈચ્છા સુરતના 1 હજાર પુત્રીઓના પિતા એવા મહેશ સવાણી સુધી પહોંચી હતી. પોતાને સંતાનોમાં દીકરી ન હોવાથી દીકરીઓ દત્તક લેનાર મહેશ સવાણીએ તરત જ જાહેર કરી દીધું કે, ઉરી હુમલાના શહીદ જવાનો માટે કોઈ શું કરે છે એ મારે નથી જોવું. પરંતુ આ હુમલામાં શહીદ થયેલા જવાનોના તમામ સંતાનોના શિક્ષણની જવાબદારી હવે પોતાની છે.  મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, ઉરી હુમલામાં શહીદ થયેલા જવાનોના સંતાનોને જ્યાં ભણવું હશે ત્યાં જેટલો અભ્યાસ કરવો હશે તેટલો કરે. આજથી તમામ ફી તેઓ ભરશે. અગાઉ વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યામંડળના સી.એલ.પટેલ પણ કાશ્મીરનાં અસરગ્રસ્ત બાળકોને વલ્લભ વિદ્યાનગર ખાતે લઈ આવ્યા હતા અને તેમના રહેવા અને અભ્યાસની સગવડ કરી હતી. જે ઉદાતરતાના ચીલા પર ગુજરાતે એક નવી પ્રેરણા આપી છે.

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments