Webdunia - Bharat's app for daily news and videos

Install App

તરણેતરના લોકમેળામાં પશુ પ્રદર્શન હરીફાઇ-૨૦૧૬નું ભવ્‍ય આયોજન

Webdunia
સોમવાર, 22 ઑગસ્ટ 2016 (16:15 IST)
રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા સુરેન્દ્રનગરના તરણેતર ખાતેના લોકમેળામાં તા. ૦૪ થી ૦૬-૦૯-૨૦૧૬ દરમિયાન પશુ પ્રદર્શન હરીફાઇ ૨૦૧૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્‍યું છે. આ પશુ પ્રદર્શન હરીફાઇમાં રાજ્યના પશુપાલકોને શુદ્ધ ઓલાદના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પશુઓને મેળામાં ભાગ લેવા માટે પશુપાલન વિભાગ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. પશુ પ્રદર્શનમાં આવેલ પશુઓની ઓલાદ મુજબ ઉચ્ચ ગુણવત્તાની હરીફાઈ યોજી વિજેતા પશુઓને ઇનામો (પ્રથમ, દ્વિતીય, તૃતિય અને આશ્વાસન) આપવામાં આવશે. તેમજ દરેક વર્ગ પૈકી કોઈ પણ એક વર્ગમાંથી એક પશુને ‘ચેમ્પિયન ઓફ ધ શો’નું ઈનામ પણ આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે પશુપાલન નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અથવા વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકની કચેરી, રાજકોટ અથવા આપની નજીકની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરવા પશુપાલન નિયામક, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments