Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રાવણ માસમાં સોમનાથ મંદિરની આવક સાડા ચાર કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ગઈ

Webdunia
શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2016 (13:14 IST)
દેશ દુનિયામાં લોકોની આસ્થાનું પ્રતીક એવા પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરની લોકપ્રિયતા ખુબ ઝડપ ભેર વધી રહી છે. દેશમાં દર વર્ષે સોમનાથ મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુંઓ ઉમટે છે. ત્યારે આ વખતના શ્રાવણ માસમાં શ્રદ્ધાળુંઓએ સોમનાથ મહાદેવ પર પૈસા અને દાનનો વરસાદ કર્યો હતો. આ વખતે સોમનાથ મંદિર પર રૂપિયાનો વરસાદ વરસ્યો છે. કારણ કે શ્રાવણ માસ નિમિત્તે આ મહિનાની આવક સાડા ચાર કરોડને પાર પહોંચી છે. શ્રાવણ માસ દરમિયાન 15 લાખથી વધુ લોકોએ દાદાના દર્શન કર્યા હતા. આ સાથે જ સોમનાથ દાદાને 161થી પણ વધારે ધજા ચઢાવવામાં આવી છે, અને 160 જેટલા લોકોએ મહાપુજા કરી હતી. જ્યારે મહામૃત્યુંજય યજ્ઞનો લાભ સાડા સાત હજાર લોકોએ લીધો હતો. તો 6600 જેટલા લોકોએ બ્રાહ્મણ પૂજન માટે અને 3 હજાર બ્રહ્ય ભોજનની નોંધણી થઇ છે. આ સાથે જ 70 જેટલા યજમાનોએ સવા લાખ બિલી પત્રની પૂજા કરાવી હતી.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments