Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેશોદ - પિકનીક મનાવીને પરત ફરી રહેલ સ્કુલ બસ ઉંઘી વળી જતા 5ના મોત

Webdunia
ગુરુવાર, 21 જાન્યુઆરી 2016 (12:23 IST)
જુનાગઢ જીલ્લાના કેશોદ નજીક સુરતના અમરોલી વિસ્તારની કવિશ્રી પારેખ વિદ્યાલય નામના સ્કૂલની બસ ઉંધી વળી જતા વિદ્યાર્થીઓ સહિત પ વ્યકિતઓના મોત નિપજતા અરેરાટી પ્રસરી ગઇ છે. મૃત્યુઆંક વધવાની શકયતા છે.
 
   પ્રાપ્ત માહીતી મુજબ સુરતની કવિશ્રી પારેખ વિદ્યાલયના વિદ્યાર્થીઓને લઇને શિક્ષકો તા.18થી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેની શ્રીનાથ ટ્રાવેલ્સની ડબલ ડેકર બસ નં. જી.જે.પ ઝેડ-2193  સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ દરિયા કિનારે પિકનીક મનાવીને પરત ફરી રહયા હતા ત્યારે કેશોદના અગતરાય પાસે આ સ્કુલ બસ ડીવાઇડર સાથે અથડાતા ઉંધી વળતા 3 છાત્રા અને 2 રસોઇયા બહેનો  સહિત પના ઘટના સ્થળે મોત નિપજયા હતા. આ બનાવની જાણ થતા પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ અને સેવાભાવી લોકો અગતરાય ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ અકસ્માતમાં 40 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તાત્કાલીક કેશોદ અને જુનાગઢ હોસ્પીટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
 
   સોમનાથ બાદ વિદ્યાર્થીઓ જૂનાગઢ જવાના હતાં અને ત્યાં ગીરનાર પર્વત તેમજ જૂનાગઢ દર્શન કરીને પરત સુરત ફરનાર હતાં. આ દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. વધુ વિગતો મેળવાઇ રહી છે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments