Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પત્નિએ ફરી કહ્યું, મારા અંગરક્ષકોથી મને બહુ બીક લાગે છે

Webdunia
સોમવાર, 4 મે 2015 (17:56 IST)
સદગત વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની જેમ તેમના જ અંગરક્ષકોએ હત્યા કરી હતી એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબહેનને પણ આવો ડર સતાવી રહ્યો છે. જશોદાબહેને ફરી એક વાર એક નવી અરજીમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધીની તેમના જ અંગરક્ષકોએ હુમલો કરીને હત્યા કરી હતી એથી મને પણ મારા અંગરક્ષકોની ખૂબ જ બીક લાગે છે. જશોદાબહેન ગઈ કાલે ગાંધીનગરમાં ગુજરાતના માહિતી કમિશનરને મળ્યાં હતાં અને તેમને જે આદેશ હેઠળ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે એ હુકમની કાયદા મુજબની સર્ટિફાઇડ નકલો ૪૮ કલાકમાં આપવા દાદ માગી હતી.

તેમણે આ બીજી અરજીમાં  મહેસાણાના જાહેર માહિતી અધિકારી અને નાયબ પોલીસ અધીક્ષક પ્રતિવાદી દર્શાવીને આક્ષેપ કર્યો હતો કે હું વડા પ્રધાનનાં પત્ની હોવાથી મારી પહેલી અરજીનો જવાબ આપવામાં નથી આવ્યો. મેં દેશના વડા પ્રધાનનાં ધર્મપત્ની તરીકે અરજી કરી હોવા છતાં મારું અપમાન કરીને મારી અરજીના જવાબમાં મારા પતિનું નામ લખેલું નથી અને ફક્ત પિતાજીનું નામ લખેલું છે. એના પરથી પણ જાણી શકાય કે માહિતી અધિકારીને મારી સામે  ખૂબ જ વાંધો છે. જશોદાબહેને આ અરજીમાં માગણી કરી હતી કે  કાયદાની જોગવાઈ મુજબ તથા ભારતીય બંધારણ મુજબ જે હુકમથી મને રક્ષણ આપવામાં આવ્યું છે એ હુકમની સર્ટિફાઇડ નકલ અર્જન્ટમાં મને આપવામાં આવે એ જરૂરી છે. આ ઉપરાંત સંબંધિત  પ્રોટોકૉલ મુજબ બીજી કેવા પ્રકારની સેવા મળી શકે એની તેમ જ પ્રોટોકૉલની વ્યાખ્યા વિગતવાર જણાવવાની વિનંતી પણ જશોદાબહેને આ અરજીમાં કરી છે.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments