Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં લાગેલા પોસ્ટર્સમાં કેજરીવાલની આસારામ સાથે સરખામણી કરાઈ

Webdunia
ગુરુવાર, 13 ઑક્ટોબર 2016 (14:19 IST)
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આગામી 14મીથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવવાના છે, ત્યારે ઠેર-ઠેર તેમનો વિરોધ થઇ રહ્યો છે. આજે અમદાવાદના નવરંગપુરામાં આવેલી આપની ઓફિસની નીચે તથા અનેક જગ્યાએ અરવિંદ કેજરીવાલનો વિરોધ કરતાં પોસ્ટર્સ લગાડવામાં આવ્યા છે. જેમાં અરવિંદ કેજરીવાલની આસારામ સાથે સરખામણી કરવામાં આવી છે.

દિલ્હીની જનતાને મુર્ખ બનાવી ગુજરાતના લોકોને બેવકૂફ બનાવવા દિલ્હીના સીએમ આવી રહ્યાં છે, તેવા પોસ્ટર્સ નજરે પડી રહ્યાં છે.કેજરીવાલ 16મીએ વરાછાના યોગીચોકમાં સભા સંબોધશે, જેની તૈયારી આપના કાર્યકર્તાઓએ પૂરજોશથી શરૂ કરી છે. જોકે, કેજરીવાલની સભા અંગેના બેનર પર જ કેજરીવાલે વિસ્તારમાં પગ મૂકવો નહીં, તેવા બેનર લગાવવામાં આવ્યા હતા. સર્જિકલસ્ટ્રાઇકના પુરાવા માગીને આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિવાદનો મધપૂ઼ડો છેડ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા એવી આશંકા વ્યક્ત કરાઇ છે કે, કેજરીવાલના પ્રવાસ દરમિયાન તેમના પર કાંકરિચાળો અથવા તો હુમલો થઈ શકે છે. સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપનારા કેજરીવાલને 500 જૂતાં મારવા અને મોં પર શાહી ફેંકવાનો બ્રહ્મ પડકાર યુવા સંગઠને નિર્ધાર કર્યો છે

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments