Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભરોડા ગામે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે ગામૈયો યજ્ઞ યોજાયો

Webdunia
ગુરુવાર, 15 ડિસેમ્બર 2016 (12:26 IST)
રોકડિયો પાક પકવતા ખેડૂતોને આજની વર્તમાન સ્થિતીમાં પોષણક્ષમ ભાવો મળતાં નથી. જેના કારણે ખેડૂતોનો ખર્ચ પણ નિકળી શકતો નથી. આવા સમયે બજારની સ્થિતી સુધરે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તેવા આશયથી ભરોડા વારાહી માતાજીના મંદીરે ગામૈયો યજ્ઞ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં હાઇટેક ખેતી કરનારા ખેડૂતો પણ જોડાયા હતા.  ભરોડા ટોકનેકેટ કિસાન સમિતીના અશોકભાઇ પટેલે જણાવ્યું હતું કે, રોકડિયા પાક કરનાર ખેડૂતો અને ખાસ કરીને ચરોતરના ગામડાઓમાં શાકભાજીનું વાવેતર વધારે પ્રમાણમાં થાય છે. સરકારે જે નિર્ણય લીધો છે  તેના કારણે હાલમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતાં નથી. આવી સ્થિતિમાં ખેડૂતો નાસીપાસ ના થાય તેમજ સરકાર દ્વારા આ ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવો આપવામાં આવે તેની આજીજી કરતાં વહેરાઇ માતાના મંદિરે એક હોમાત્મક યજ્ઞ રાખવામાં આવ્યો હતો. જેમાં ગામના તમામ પ્રજાજનો જોડાયા હતા. તેમજ આવનાર દિવસોમાં પરિસ્થિતિ સુધરે તે માટેની આજીજી કરી હતી. સામાન્ય રીતે કોઇપણ મુશ્કેલીની સ્થિતિમાં ભગવાનના શરણે જતાં હોઇએ છીએ. આ સમયમાં પણ ખેડૂતોને ભગવાન ધીરજ આપે તેવા આશય સાથે આ યજ્ઞ કરવામાં આવ્યો હતો.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments