Webdunia - Bharat's app for daily news and videos

Install App

150 વર્ષ જુની ગાયકવાડી સમયની ચમચીઓનો સંગ્રહ

Webdunia
મંગળવાર, 13 ડિસેમ્બર 2016 (12:59 IST)
વડોદરાના ઉમેશભાઇએ 150 વર્ષ જુની ગાયકવાડ સમયની ચમચીઓનું અનોખું સંગ્રહાલય ઊભું કર્યું છે. તેમણે દેશ-વિદેશની સ્ટીલ, ચાંદી, જર્મન, મેટલ અને વુડન સહિત વિવિધ પ્રકારની 290 ચમચીઓનું મ્યુઝિયમ પોતાના નિવાસ સ્થાને જ બનાવ્યું છે. ઉમેશભાઇ સુરતકરે જણાવ્યું હતું કે, ચમચીઓનો સંગ્રહ કરવાનો શોખ મારી માતા શંકુતલાબેહનનો હતો. તેઓ જ્યારે લગ્ન કરીને આવ્યા ત્યારથી તેઓએ ચમચીઓ સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ વાસણ ખરીદવા માટે જાય ત્યારે નવી ડીઝાઇનની ચમચીઓ અચૂક ખરીદીને લાવતા હતા. આજે તેઓની ઉંમર 76 વર્ષની છે. આજે પણ હું નવી ચમચી લાવું ત્યારે તેમને ચોક્કસ બતાવું છું અને ચમચી જોયને તેઓ ખૂશ થઇ જાય છે.મેં મારી માતાના શોખને અપનાવી લીધો હતો. બાદમાં મેં પણ એન્ટીક ચમચીઓ સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું. મારી પાસે હાલમાં 150 વર્ષ જુની ગાયકવાડી શાસન સમયની રોયલ ચમચી છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલીયાની પણ 20 વર્ષ જુની ચમચી છે. મારી પાસે પૂજા માટેની, સુપ, ચાવલ, ખાંડ, આચાર, ચાઇનીસ સહિત વિવિધ પ્રકારની ગુજરાત, મહારાષ્ટ્ર, સાઉથ સહિત દેશના વિવિધ રાજ્યો અને વિદેશની કુલ 290 છે. લોકો જોવા માટે પણ આવી રહ્યા છે. વર્ષો જુની ચમચીઓ જોઇને રોમાંચ અનુભવે છે. મારી ઇચ્છા મારા હાલના હયાત મકાનમાં ભવિષ્યમાં મારી મમ્મીના નામથી શંકુતલા મ્યુઝીયમ બનાવવાની છે. મારી ઇચ્છા છે કે, આવનારી પેઢીને વર્ષો પૂર્વે લોકો કેવી ચમચીઓનો ઉપયોગ કરે છે તે બતાવવું છે.

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments