Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં જયલલિતાના નિધનથી તામિલોમાં આક્રંદ, સાંજે શોકસભા

Webdunia
મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (12:54 IST)
તામિલનાડુની અમ્મા અને મુખ્યપ્રધાન જયલલિતાના નિધનને પગલે સમગ્ર વિશ્વમાં રહેતા તામિલો શોકમાં ગરકાવ થયા છે. ત્યારે દેશના અલગ અલગ રાજ્યોમાં રહેતા લોકોએ પણ તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ગુજરાતમાં જોઈએ તો અમદાવાદમાં રહેતા તામિલ સમાજમાં પણ જયલલિતાના નિધનને પગલે ભારે શોક પ્રસર્યો હોવાનું જોવા મળ્ચું હતું. શહેરના પૂર્વમાં ખોખરા, હાટકેશ્વર, ભાઈપુરા વિસ્તારમાં રહેતા તામિલ પરિવારોમાં અમ્માના નિધનના સમાચારથી આક્રંદના દ્રશ્યો સર્જાયા છે. ગઈકાલ રાતથી જ ખોખરા પાસે ઈડલી ચાર રસ્તા, મદ્રાસી મંદિર સહિતના વિસ્તારોમાં તામિલ પરિવારોએ એકઠા થઈને અમ્માને શ્રદ્ધાંજલિ અર્પી હતી. અમ્માના નિધનને પગલે અમદાવાદ તામિલ સંઘ દ્વારા મણીનગરમાં આવેલી શ્રીક્રિષ્ના તાલિમ સ્કૂલમાં 4 વાગ્યે શોકસભા અને પ્રાર્થનાનું આયોજન કરાયું છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments