Webdunia - Bharat's app for daily news and videos

Install App

દશેરાના દિવસે 211 દલિતોનું ધર્માંતરણ ,બૌધ્ધ ધર્મ અપનાવવામાં શિક્ષિત યુવાનો પણ સામેલ

Webdunia
બુધવાર, 12 ઑક્ટોબર 2016 (11:52 IST)
એક સમયે ધર્માંતરણનો મુદ્દો દેશમાં રાજનૈતિક બન્યો હતો. તે હવે ફરીવાર પ્રકાશમાં આવ્યો છે. રાજ્યમાં દશેરાના દિવસે ધર્માંતરણ થયાના દાખલા પણ ઉડીને આંખે વળગ્યાં છે. દલિતો પર થતા અત્યાચારને લઇને દલિત સમાજમાંથી હવે ધર્માતરણ થવા માંડ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાંથી પણ દલિતો બૌધ્ધ ધર્મ તરફ વળી રહ્યા છે. દશેરના દિવસે રાજ્યમાં 211 દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. આ ધર્માંતરણ પાછળ ઉનાકાંડ કારણભૂત હોવાનું મનાવમાં આવી રહ્યું છે. ધર્માંતરણ કરનાર દલિતોમાં શિક્ષક, MBA સ્ટુડન્ટ સહિતના શિક્ષિતોનો સમાવેશ થાય છે. અમદાવાદ, કલોલ અને સુરેન્દ્રનગરમાં કાર્યક્રમ યોજાયા હતા. અમદાવાદના દાણીલીમડામાં આવેલા આંબેડકર હોલમાં ગુજરાત બુદ્ધિસ્ટ અકાદમીએ યોજેલા દીક્ષા ગ્રહણ સમારોહમાં 140 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી છે. અમદાવાદના ત્રણ સ્થળોએ યોજાયેલા સમાહરોહમાં અમદાવાદમાં 140, કલોલમાં 61 અને સુરેન્દ્રનગરમાં 11 લોકોએ દીક્ષા ગ્રહણ કરી હતી. કાર્યક્રમમાં બૌદ્ધ ભિખ્ખુ સંઘના મહામંત્રી પૂ.ભદન્ત પ્રજ્ઞાશીલ મહાથેરોએ ધમ્મ દીક્ષા આપી હતી.  આઝાદીના આટલા વર્ષ બાદ અસ્પૃશ્યતાનો વ્યવહાર આ ધર્મપરિવર્તનનો મુખ્ય મુદ્દો બન્યો હતો. રાજ્યમાં આજે દલિતો પ્રત્યે થતા અત્યાચાર અને અસ્પૃશ્યતાથી મજબૂર થઇને લોકો ધર્માતરણ કરી રહ્યા છે એમ માનવામાં આવી રહ્યું છે.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments