rashifal-2026

દેશમાં ગુજરાતનું એક માત્ર મહોલ્લો છે જ્યાં ત્રણ લોકોને પદ્મશ્રી એવોર્ડ મળ્યાં છે.

Webdunia
મંગળવાર, 18 ઑક્ટોબર 2016 (12:56 IST)
રાંદેર વિસ્તારના ફળીયામાં એક સમયે વસતાં ત્રણ વ્યક્તિ હસમુખભાઈ પારેખ, દિપકભાઈ પારેખ અને ગુણવંત શાહને પદ્મશ્રી એવોર્ડ મળ્યા હતા. દેશમાં એકમાત્ર ફળિયું એવું છે, જે ફળિયામાં પચ્ચીસ મીટરના અંતરે રહેતાં ત્રણ વ્યક્તિઓને  પદ્મશ્રી એવોર્ડ મળ્યાં છે.  એચડીએફસી બેંકના સ્થાપક હસમુખભાઇ ઠાકોરભાઇ પારેખ હતા. તેઓ લગભગ 6 ભાઇઓ અને એક જ બહેન હતી. તમામ ભાઇઓ બેંકમાં નોકરી કરતાં હતા. પણ હસમુખભાઇ કંઇક અલગ વિચારધારા ધરાવતા વ્યક્તિ હતા. જેથી 1978માં પ્રથમ એચડીએફસી હાઉસીંગ ડેવેલોપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશનની સ્થાપના કરી હતી. અને સાથે સાથે હિન્દુસ્તાન ઓઇલ એસ્પ્રોઝન કંપનીની પણ સ્થાપી હતી જે આજે પણ કાર્યરત છે.

હસમુખભાઇ બીઆરસીમાં ડાયરેક્ટર તરીકે પણ સેવા આપતા હતા.સુરતમાં રાંદેર વિસ્તારમાં હસમુખ પારેખ પિતા ઠાકોરભાઈ સાથે પારેખ ફળીયાના ઘર નંબર 3-57માં રહેતા હતા. જ્યાં તેના ભાઈ ચંદ્રકાંત પારેખ મૃત્યુ સુધી રહ્યા હતા. હસમુખભાઈએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો હતો. અને સાથે સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરતાં હતા. ત્યારબાદ મુંબઈમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ત્રણ વર્ષ લેક્ચરર રહ્યા હતા. 1956માં ડેપ્યૂટી જનરલ મેનેજર તરીકે આઈસીઆઈસીઆઈમાં જોડાયા હતા. જ્યાં 1972માં ચેરમેન અને મેનેજિંગ ટાયરેક્ટર બન્યા હતા. આઈસીઆઈસીઆઈ સાથે 1978 સુધી જોડાયેલા રહ્યા હતા. ત્યારબાદ 1978માં એચડીએફસી(હાઉસીંગ ડેવેલોપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન)ની સ્થાપના કરી હતી.
વધુ જુઓ..

જરૂર વાંચો

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

વધુ જુઓ..

નવીનતમ

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

આગળનો લેખ
Show comments