Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભરૂચઃ ટ્રેન પાટા છોડી 600 મીટર દોડી, ડ્રાઈવરે લોકોના જીવ બચાવ્યા

Webdunia
શનિવાર, 3 ડિસેમ્બર 2016 (12:28 IST)
60થી 70 કિમીની ઝડપે દોડી રહેલી મેમુ ટ્રેનની આગળ અચાનક આવી ગયેલા 2 પશુઓનાં કારણે ટ્રેનમાં
સવાર 800 થી વધુ મુસાફરોનાં જીવ જોખમમાં મૂકાઇ ગયા હતા. ડ્રાઇવરે સૂઝબૂઝ સાથે ધીમેધીમે બ્રેક લગાવી સમયસૂચકતા વાપરતા ટ્રેનને સુરક્ષિત રીતે થોભાવી દેતા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.સંજાલી પાસે ટ્રેક પર તેની નિયત ઝડપે આગળ વધી રહેલી મેમુ ટ્રેન સામે અચાનક 2 ભેંસ આવી ચઢવાની ઘટનામાં ટ્રેનનાં ડ્રાઇવરે વાપરેલી સમય સૂચકતાથી મોટી હોનારત સર્જાતા ટળી ગઇ હતી. એક ભેંસ ટ્રેક અને ટ્રેનની નીચે ઘુસી જવા સાથે છેક પાંચમાં કોચ સુધી પહોંચી ગઇ હતી. જયાં બન્ને વ્હિલમાં તેનો મૃતદેહ ફસાઇ જતા બન્ને પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેન 600 મીટર સુધી ઘસડાયા બાદ ધીમી પડી હતી.ભરૂચથી વિરાર શટલ ટ્રેનને 4.10 કલાકે ઘટના સ્થળે સાઇડ લાઇન પર લઇ જવાઇ હતી. ઘટના સ્થળે વિરાર ટ્રેનને સાઇડિંગમાં ઉભી રાખી ટ્રેનનાં મુસાફરોને 2 કલાક બાદ તેમા શિફટ કરી સુરત લઇ જવાયા હતા.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments