Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના દરિયા કિનારે 80 બોટને જળસીમા ઓળંગતા અટકાવાઈ

Webdunia
મંગળવાર, 8 નવેમ્બર 2016 (17:44 IST)
ભારતીય જળસીમા નજીક માછીમારી કરતી 8૦ જેટલી ભારતીય માછીમારી બોટના પાસ તંત્રે જપ્ત કર્યા છે. છેલ્લા એક માસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.પોરબંદર સહિત સૌરાષ્ટ્રના માછીમારો હાલના સમયમાં નજીકના દરિયામાં વધારે પડતા દરિયાઈ પ્રદૂષણને લીધે માછલીઓનો જથ્થો મળતો ન હોઈ દૂર સુધી દરિયામાં માછીમારી કરવા જાય છે. ઘણી વાર ભારતીય જળસીમા સુધી માછીમારી કરવા જતા હોય છે. આવી બોટના પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા ભારતીય જળસીમામાં ઘૂસી અને અવારનવાર અપહરણ કરવામાં આવે છે. આથી વિવિધ સીકયુરિટી એજન્સીઓ દ્વારા માછીમારોને ભારતીય જળસીમા નજીક માછીમારી કરવા ન જવા સ્પષ્ટ સુચના અપાઈ છે.

આ ઉપરાંત હાલ ઉરીના હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચેના તંગ સંબંધોને ધ્યાનમાં લઈને પણ દરિયા કાંઠના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયેલ છે ત્યારે આ અંગે સુરક્ષા એજન્સીઓએ માછીમારોને પણ ભારતીય જળસીમાંથી ૩૦ નોટીકલ માઈલ દૂર રહીને જ માછીમારી કરવા સુચના આપી હતી તેમ છતાં અનેક બોટ વિવિધ કારણોસર ભારતીય જળસીમા સુધી માછીમારી કરતી હોવાનું હાલમાં કોસ્ટ ગાર્ડ અને નેવી સહિતની સુરક્ષા એજન્સીઓના ધ્યાને આવ્યું હતું. આથી છેલ્લા એક માસમાં જ આ રીતે ભારતીય જળસીમા નજીક માછીમારી કરતી 8૦ માછીમારી બોટના ડોક્યુમેન્ટ્સ સુરક્ષા એજન્સીઓએ જપ્ત કરી અને તમામ બોટને પરત મોકલી આપી છે.  
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments