Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાકોરના મંદિરમાં સોનાની ચેઈન હાથમાં પકડીને દર્શન કરો એવું બોર્ડ લાગ્યું

Webdunia
શુક્રવાર, 4 નવેમ્બર 2016 (14:57 IST)
નવા વર્ષની શરૂઆતની સાથે જાણીતાં મંદિરોમાં દેવ દર્શન માટે શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો રહેતો હોય છે. તેમાંયે ડાકોરના રણછોડરાયના મંદિરમાં તો બારે મહિના જાણે ભીડ જ જોવા મળે છે. આ વખતે ડાકોરના રણછોડરાયજીના મંદિર પાસે દર્શનાર્થીઓને સાવધાન કરતું બોર્ડ લગાવાયું છે. આ લખાણથી ભારે આશ્ચર્ય ફેલાયું છે. આ બોર્ડમાં લખવામાં આવ્યું છે કે આપ દર્શન કરવા આવો ત્યારે સોનાની ચેઈન હાથમાં પકડીને દર્શન કરવા વિનંતી. સામાન્ય રીતે મંદિરોની આસપાસ એવા બોર્ડ લગાવ્યાં હોય છે કે ખિસ્સાકાતરુઓથી સાવધાન. તેમજ તમારી કિંમતી વસ્તુઓ સંભાળીને રાખો. પરંતુ અહીં તો સીધું જ એવું બોર્ડ લગાવાયું કે સોનાની ચેઇન હાથમાં પકડીને દર્શન કરવા વિનંતી. રણછોડજીના મંદિર પાસે લગાવામાં આવેલા બોર્ડ અંગે ડાકોરના સત્તાધીશોએ જણાવ્યું કે દિવાળીના દિવસોમાં વૈષ્ણવોનો ભારે ધસારો રહે છે. આ ભીડમાં ચેઇન સ્નેચર પણ હોઈ શકે છે. તેથી લોકોને એલર્ટ કરવા માટે અમે આ બોર્ડ લગાવ્યું છે.આ ઉપરાંત ત્યાં વારંવાર જાહેરાત પણ કરવામાં અાવે છે. દિવાળીના પર્વ દરમિયાન ડાકોરમાં અંદાજે બે લાખ જેટલા ભાવિક ભક્તો રણછોડજીના મંદિરમાં દર્શન કરી ચૂક્યા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Nepal Flood- નેપાળમાં પૂરના કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 112 લોકોના મોત,

MP Bus Accident- મધ્યપ્રદેશના મૈહરમાં અકસ્માત, 9 લોકોના મોત, ઘણા ઘાયલ

PM Modi Gift- પુણે મેટ્રો, સોલાપુર એરપોર્ટ અને ઈન્ડસ્ટ્રીયલ એરિયા, પીએમ મોદી આજે મહારાષ્ટ્રને 11,200 કરોડ રૂપિયાની ભેટ આપશે.

સસરા અને વહુના ગેરકાયદેસર સંબંધ, દરરોજ કરતો હતો... પછી સાસુને ખબર પડી

દ્વારકા હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત, મૃત્યુ પામેલા 5 લોકો એક જ પરિવારના હતા.

આગળનો લેખ
Show comments