Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરા - વાઘોડિયાના રૂસ્તમપુરા ગામે ફટાકડાની દુકાનમાં આગ, 8 ના મોત

Webdunia
શનિવાર, 29 ઑક્ટોબર 2016 (00:16 IST)
વડોદરાના વાઘોડિયાના રૂસ્તમપુરા ગમે ફટાકડાની દુકાનમાં ભયંકર આગ ભભૂકી ઉઠતા 8 લોકોના મોત થયા આગની ભયાનકતા જાણીને જિલ્લા કલેટર સહિતનાટોચના  અધિકારીઓ ઘટના સથળે દોડી ગયા હતા આગને કાબુમાં લેવા વડોદરાથી ચાર ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા છે 
 
      આ અંગે મળતી વિગતો મુજબ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા ગામે ભીષણ આગ લાગતા 8 વ્યક્તિના મોત નિપજ્યા હતા આ અંગે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી ગયા છે. જિલ્લા વહિવટી તંત્રને પણ જાણ થતાં કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા 
 
આગ સતત ચાર કલાક ચાલુ રહી હતી. વાઘોડિયા, ડભોઈ, વડોદરા અને ગેઈલ કંપનીના ફાયર ફાયટર્સ પણ આગ બૂઝવવા માટે કામે લાગી ગયા હતા. આખરે ચાર કલાક બાદ આગ કાબૂમાં આવી હતી. ત્યાર બાદ કેટલા લોકોના મૃત્યુ થયા છે તે જાણી શકાયું છે. જોકે, માણસો આગમાં એટલી હદે ભડથુ થઈ ગયા હતા કે મૃતદેહો સ્ત્રીના છે કે પુરુષના તે પણ ઓળખી શકાયા ન હતા. આગ બૂઝવવાની કામગીરી દરમિયાન આખા ગામમાં અંધારપટ છવાઈ ગયો હતો. ગામમાં લાઈટો જતી રહી હતી.આગમાં આઠ લોકો એટલી હદે સળગી ગયા હતા કે તેમની ઓળખ રાતના નવ વાગ્યા સુધી પણ થઈ શકી ન હતી. ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર લોચનસિંહ સહેરા, જિલ્લા પોલીસ વડા, તાલુકા મામલતદાર, સ્થાનિક ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વિગેરે સ્થળ પર દોડી ગયા હતા

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments