Webdunia - Bharat's app for daily news and videos

Install App

વણઝારા દ્વારા અક્ષરધામ પર પુસ્તક લખનાર મુફ્તી ક્યુમ સામે 101 કરોડ રૂ.નો બદનક્ષીનો દાવો

Webdunia
મંગળવાર, 7 જુલાઈ 2015 (10:55 IST)
સુપ્રીમ કોર્ટમાંથી નિર્દોષ છૂટેલા અક્ષરધામ કેસના આરોપી મુફ્તી અબ્દુલ ક્યુમ પર પૂર્વ આઈપીએસ ડી.જી. વણઝારાએ 101 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો અમદાવાદની કોર્ટમાં કર્યો છે. મુફ્ત ક્યુમે તાજેતરમાં 11 વર્ષ સલાખો કે પીછે નામનું પુસ્તક લખ્યુ છે. જેમા પોલીસ દ્વારા તેમના પર કરવામાં આવેલા અત્યાચારોનો ઉલ્લેખ છે. 200 પાનાના આ પુસ્તકમાં મુફ્તીએ તત્કાલિન પોલીસ અધિકારીઓ ડી. જી વણઝારા,  જી એલ સિંઘલ અને બીજા અધિકારી દ્વરા કેવો શારીરિક માનસિક ત્રાસ અપાયો તેનો ઉલ્લેખ કર્યો છે. 2002માં થયેલ અક્ષરધામ મંદિર પર થયેલા ટેરર અટેકમાં મુફ્તીને આરોપી બનાવવામાં આવ્યા હતા અને તેમણે 11 વર્ષ જેલમાં કાઢ્યા હતા. 
 
મુફ્તીનું આ પુસ્તક પ્રકાશિત થયા પછી વણઝારાએ તેમના વકીલ વીડી. ગજ્જર દ્વારા 101 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કોર્ટમાં કર્યો છે. પીટીશનમાં દાવો કરવામાં આવ્યો છે કે મુફ્તીના આ પુસ્તકને કારણે વણઝારાની પ્રતિષ્ઠા ખરડાઈ છે અને બુકમાં પાયાવિહોણી વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સીટી સીવીલ અને સેશન્સ કોર્ટમાં વધુ સુનાવની 31 જુલાઈએ નક્કી કરવામાં આવી છે. 
 
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાંથી નિર્દોષ છુટ્યા પછી મુફ્તી ક્યુમે વણઝારા સહિત ચાર અધિકારીઓ સામે સુપ્રેમ કોર્ટમાં પીટીશન ફાઈલ કરીને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. 

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments