Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના વેપારીઓમાં સ્વાઈપ મશીનની માંગ વધી

Webdunia
શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (11:55 IST)
સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધીને કારણે કેશની ઝંઝટથી પરેશાન નાના-મોટા અનેક વેપારીઓમાં કાર્ડ સ્વાઇપ મશીનની માગ વધી છે. શહેરમાં ૧૬૦૦થી વધારે જગ્યાએ નવા પીઓએસ (પોઇન્ટ ઓફ સેલ) મશીન લાગી ચૂકયાં છે અને બેન્કમાં પીઓએસ મશીન વિશે ઇન્કવાયરી થઇ રહી છે. શહેરના નાના દુકાનદારો પણ સ્વાઇપ મશીન અને ઇ-વોલેટ તરફ વળી રહ્યા છે.કેશની અછત વચ્ચે વેપારીઓ પીઓએસ સ્વાઇપ મશીન લાગવા માટે ઈન્કવાયરી કરવા લાગ્યા છે. શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી એસબીઆઇની મેઇન બ્રાન્ચના આસિ. જનરલ મેનજર રાકેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, “શહેરમાંથી દરરોજ રપ૦થી ૪૦૦ જેટલી સ્વાઇપ મશીન અંગે ઇન્ક્વાયરી આવી રહી છે. અમે ગત મહિના સુધી ૧૬૦૦થી વધારે પીઓએસ મશીન આપ્યાં છે. શહેરના રિક્ષા એસોસિયેશનના લોકો પણ પીઓએસ મશીનની ઇન્કવાયરી માટે આવ્યા હતા. રિક્ષા ચાલકોને પણ નોટબંધી પછી આવકમાં ઘટાડો થયો છે જેને લઈને રિક્ષામાં પીઓએસ મશીન લાગવા માગ થઇ હતી. શહેરમાં રિક્ષાઓની સંખ્યા વધારે હોવાના કારણે ૩૦૦થી જેટલી રિક્ષામાં પીઓએસ મશીન લાગવાની વાત અમે કરી છે, પરંતુ હજુ સુધી કોઇ અેગ્રિમેન્ટ થયું નથી. જો તેઓ કહેશે તો પીએસઓ મશીન લગાવી આપવામાં આવશે. પીઓએસ મશીનનો બને એટલો વધુ ઉપયોગ થાય તો કાળાં બજાર, નકલી નોટ, ચોરી તેમજ લૂંટ જેવી ઘટનામાં ઘટાડો થશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments